કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીથી શ્રીનાથજી એસટીની વોલ્વો બસને લીલી ઝંડી આપી બ્રિજેશભાઇ મેરજાએ કરાવ્યુ પ્રસ્થાન


SHARE













મોરબીથી શ્રીનાથજી એસટીની વોલ્વો બસને લીલી ઝંડી આપી બ્રિજેશભાઇ મેરજાએ કરાવ્યુ પ્રસ્થાન

રાજ્યના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના રાજ્ય મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ મોરબી નવા એસ.ટી. બસ સ્ટેશનથી શ્રીનાથજી એસ.ટી. વોલ્વો એ.સી. બસને લીલી ઝંડી આપીને બસના નવા રૂટનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, મોરબીના પ્રવાસીઓની લાગણી અને માંગણી હતી કે શ્રીનાથજી જેવા ધાર્મિક સ્થાન સુધી બસની સેવા મળી રહે. તેથી મોરબીના ધારાસભ્ય તરીકે મોરબીવાસીઓની માંગને વાચા આપીને રાજ્યના વાહનવ્યવહાર મંત્રી સમક્ષ રજૂઆત કરતાં આ માંગને તાત્કાલીક સ્વીકારીને મોરબીથી નાથદ્વારા બસ ફાળવવામાં આવી છે આ બસ મોરબીથી દરરોજ સાંજે ૬.૩૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે ૫.૦૦ વાગ્યે  શ્રીનાથજી પહોંચશે જેથી કરીને ભાવીકોને મંગળા આરતીના દર્શનનો પણ લ્હાવો મળી શકશે. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, પાલીકા પ્રમખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઇ દેસાઈ તથા નગરપાલીકાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News