મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

ભારે કરી હો !: વાંકાનેર માર્કેટ યાર્ડની ચુંટણીમાં ભાજપને ઉમેદવાર ન મળ્યા ?


SHARE













ભારે કરી હો !: વાંકાનેર માર્કેટ યાર્ડની ચુંટણીમાં ભાજપને ઉમેદવાર ન મળ્યા ?

વાંકાનેર માર્કેટ યાર્ડની ૧૫ બેઠકો માટે આગામી તા.૧૧ ના રોજ ચૂંટણી યોજાવાની છે ત્યારે જુદીજુદી પેનલોમાં બંને રાષ્ટ્રીય પક્ષ દ્વારા તેના ઉમેદવારો ઊભા કરવામાં આવેલ છે જો કે, વેપારી પેનલની ચાર બેઠક માટે ભાજપને ઉમેદવાર ન મળ્યા હોવા હાલમાં આ ચુંટણીમાં મતદાન પહેલા જ ત્રણ બેઠક કોંગ્રેસ માટે નિશ્ચિત થઈ ગઈ છે

વાંકાનેરના કોંગ્રેસના ધારાસભ્ય મહંમદ જાવીદ પીરઝાદાની આગેવાનીમાં તેમજ કોંગ્રેસનાં આગેવાન હરદેવસિંહ જાડેજા સહિતના હોદેદારો અને આગેવાનોના માર્ગદર્શન હેઠળ હાલમાં કોંગ્રેસ દ્વારા વાંકાનેર માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા કરવામાં આવેલ છે ત્યારે ખેડુત પેનલની ૧૦, વેપારી પેનલની ચાર અને સંઘ પ્રોસેસિંગની એક એમ કુલ ૧૫ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે તેના ઉમેદવારી પત્રો ભરી દેવામાં આવેલ છે જેમાં બંને પક્ષ તરફથી ઉમેદવાર ઊભા રાખવામા આવેલ છે

 

આ ચુંટણીમાં ખેડુત પેનલમાં ૧૦ બેઠકો માટે બંને પક્ષ તરફથી ૧૦-૧૦ ઉમેદવાર તેમજ એક અપક્ષ ઉમેદવાર હોવાથી કુલ ૨૧ ફોર્મ ભરવામાં આવ્યા છે અને વેપારી પેનલની વાત કરીએ તો વેપારી પેનલમાં ચાર બેઠકો છે જેમાં ચારેય બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારો ઉભા રાખવામા આવેલ છે જો કે, ભાજપને ઉમેદવાર ન મળ્યા હોવાથી માત્ર એક જ ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે આમ ચાર પૈકીની ત્રણ બેઠકો કોંગ્રેસના ઉમેદવારો માટે નિશ્ચિત થઇ ગઇ હોવાનું હાલમાં જાણવા મળ્યું છે

આગામી તા.૧૧ ના રોજ ચૂંટણી માટે મતદાન થવાનું છે અને તા ૧૨ ના રોજ વાંકાનેર માર્કેટ યાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે વધુ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે આ ચુંટણીમાં સંઘ પ્રોસેસિંગમાં ૩૫ વેપારી પેનલમાં ૨૦૩ અને ખેડૂતોમાં ૬૫૪ જેટલા મતદારો છે જેઓના દ્વારા મતદાન કરીને વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સભ્યોને ચૂંટી કાઢવામાં આવશે ત્યારબાદ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવશે




Latest News