મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

ભારે કરી હો !: વાંકાનેર માર્કેટ યાર્ડની ચુંટણીમાં ભાજપને ઉમેદવાર ન મળ્યા ?


SHARE











ભારે કરી હો !: વાંકાનેર માર્કેટ યાર્ડની ચુંટણીમાં ભાજપને ઉમેદવાર ન મળ્યા ?

વાંકાનેર માર્કેટ યાર્ડની ૧૫ બેઠકો માટે આગામી તા.૧૧ ના રોજ ચૂંટણી યોજાવાની છે ત્યારે જુદીજુદી પેનલોમાં બંને રાષ્ટ્રીય પક્ષ દ્વારા તેના ઉમેદવારો ઊભા કરવામાં આવેલ છે જો કે, વેપારી પેનલની ચાર બેઠક માટે ભાજપને ઉમેદવાર ન મળ્યા હોવા હાલમાં આ ચુંટણીમાં મતદાન પહેલા જ ત્રણ બેઠક કોંગ્રેસ માટે નિશ્ચિત થઈ ગઈ છે

વાંકાનેરના કોંગ્રેસના ધારાસભ્ય મહંમદ જાવીદ પીરઝાદાની આગેવાનીમાં તેમજ કોંગ્રેસનાં આગેવાન હરદેવસિંહ જાડેજા સહિતના હોદેદારો અને આગેવાનોના માર્ગદર્શન હેઠળ હાલમાં કોંગ્રેસ દ્વારા વાંકાનેર માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા કરવામાં આવેલ છે ત્યારે ખેડુત પેનલની ૧૦, વેપારી પેનલની ચાર અને સંઘ પ્રોસેસિંગની એક એમ કુલ ૧૫ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે તેના ઉમેદવારી પત્રો ભરી દેવામાં આવેલ છે જેમાં બંને પક્ષ તરફથી ઉમેદવાર ઊભા રાખવામા આવેલ છે

 

આ ચુંટણીમાં ખેડુત પેનલમાં ૧૦ બેઠકો માટે બંને પક્ષ તરફથી ૧૦-૧૦ ઉમેદવાર તેમજ એક અપક્ષ ઉમેદવાર હોવાથી કુલ ૨૧ ફોર્મ ભરવામાં આવ્યા છે અને વેપારી પેનલની વાત કરીએ તો વેપારી પેનલમાં ચાર બેઠકો છે જેમાં ચારેય બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારો ઉભા રાખવામા આવેલ છે જો કે, ભાજપને ઉમેદવાર ન મળ્યા હોવાથી માત્ર એક જ ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે આમ ચાર પૈકીની ત્રણ બેઠકો કોંગ્રેસના ઉમેદવારો માટે નિશ્ચિત થઇ ગઇ હોવાનું હાલમાં જાણવા મળ્યું છે

આગામી તા.૧૧ ના રોજ ચૂંટણી માટે મતદાન થવાનું છે અને તા ૧૨ ના રોજ વાંકાનેર માર્કેટ યાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે વધુ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે આ ચુંટણીમાં સંઘ પ્રોસેસિંગમાં ૩૫ વેપારી પેનલમાં ૨૦૩ અને ખેડૂતોમાં ૬૫૪ જેટલા મતદારો છે જેઓના દ્વારા મતદાન કરીને વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સભ્યોને ચૂંટી કાઢવામાં આવશે ત્યારબાદ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવશે






Latest News