મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

ભુજમાં રાજ્યપાલના સેમિનારમાં મોરબી અજંતા ગ્રુપના જયસુખભાઇ વિશેષ ઉપસ્થિતિ રહ્યા


SHARE













ભુજમાં રાજ્યપાલના સેમિનારમાં મોરબી અજંતા ગ્રુપના જયસુખભાઇ વિશેષ ઉપસ્થિતિ રહ્યા

"જળ એજ જીવન છે." ભુજ ખાતે જળ સંચય અને પ્રાકૃતિક ખેતીએ મહત્વના અને લોકોને ડાયરેક્ટ સ્પર્શ કરતા મુદ્દાઓ પર ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને ડો. નીમાબેન આચાર્ય (સ્પીકર ગુજરાત રાજ્ય) સાથે અજંતા ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇ પટેલ અને દીપકભાઈ પારેખ હાજર રહ્યા હતા અને લોક હિત, લોક કલ્યાણ અને લોકોની સુખાકારી માટે પાટીદાર રત્ન જયસુખભાઇ ઘણા વર્ષોથી "રણ સરોવર" પર રીસર્ચ અને અથાગ મહેનત કરી રહ્યા છે.

સેમિનાર દરમ્યાન રાજ્યપાલને "રણ સરોવર" પુસ્તકની થર્ડ એડિશન અર્પણ કરવામાં આવી હતી. અને કહેવાય છે કે ત્રીજું વિશ્વ યુદ્ધ પાણી માટે જ થશે જો યોજના બધ પાણીનો સંગ્રહ નહીં કરીએ તો આવનારી પેઢીઓએ પાણી માટે તરફડિયા મારવા પડશે એટલે કે અતિ વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડશે તેમાં કોઈ સ્થાન નથી. ગ્લોબલ કચ્છના દરેક સભ્યો અને દરેક મહાનુભવોએ "રણ સરોવર" રૂપી આ વિરાટ દીર્ઘદ્રષ્ટિ બદલ જયસુખભાઇને અભિનંદન પાઠવ્યા હતા અને રાજ્યપાલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા હાકલ કરી હતી તેમજ પાણીના સંગ્રહ અને પાણીની બચત પર પણ ભાર મુક્યો હતો.






Latest News