આંદોલન વેગવંતુ: મોરબી જિલ્લાના વધુ 15 જેટલા ગામોમાં ભાજપના ઉમેદવારની પ્રવેશબંધીના બેનર લાગ્યા વાંકાનેરના રાતીદેવરી ગામે દુકાને કરિયાણું લેવા ગયેલા યુવાનને દુકાનદાર સહિત 5 લોકોએ ધોકા-પાઇપથી માર માર્યો વાંકાનેરના મહીકા ગામે પતિએ જમવાનું વહેલા બનાવવાનું કહેતા પત્નીએ અણધાર્યું પગલું ભર્યું ટંકારાના લજાઈ ગામે ક્લબ 36 ના લેબર કવાર્ટરમાં યુવાને અંતિમ પગલું ભર્યું મોરબી ખાતે મામલતદારની ખાલી જગ્યા ભરો :પી.પી.જોષી મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના જીવાપર પાસે પાઇપ લાઇન પથવાના કામમાં કોન્ટ્રાકટરની ઘોર બેદરકારી: ખેડૂતોને નુકશાન


SHARE







મોરબીના જીવાપર પાસે પાઇપ લાઇન પથવાના કામમાં કોન્ટ્રાકટરની ઘોર બેદરકારી: ખેડૂતોને નુકશાન

મોરબીના જીવાપર ગામ પાસે એલ ટી કંપની દ્વારા પાઇપ લાઇન પથવાનું કામ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહ્યું છે જે પાઈપ લાઈનનું કામ અધુરું હોવાથી ખેડૂતોને મુશ્કેલીનો  સામનો કરવો પડે છે અને ખેડૂતોને નુકશાન પણ જાય છે જેથી બેદરકાર કોન્ટ્રાકટર સામે યોગ્ય કાર્યવાહી કરવા માટે અને ખેડૂતોને થયેલ નુકશાનીનું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી નજીકના જીવાપર ઘોડાધ્રોઈ નદીથી પાવડિયારી સુધીની આશરે ૩ કીમી નર્મદા નહેરની ધાંગધ્રા શાખાની બાજૂમાં એલ ટી કંપની મારફતે લોખંડની પાઈપ નાંખવાની કામગીરી છેલ્લા બે વર્ષથી કરવામાં આવી રહી છે જેમાં પાંચ વખત પેટા કોન્ટ્રાકટરો બદલાય ગયા છે અને કટકે કટકે નવેસરથી કામ શરૂ કરવામાં આવે છે ત્યારે કુલ પાંચ વખત ખેડૂતોની પીવીસી પાઈપ કોન્ટ્રાકટરમાં માણસો દ્વારા તોડીને ખોદાણકામ અને પુરાણકામ કરેલ છે અને વારંવાર ખેડૂતોને પિયત ચાલું હોવા છતાં જાતે પાઈપ છોડાવી અને ફરી ફિટ કરવી પડે છે અને ખેડૂતો હાજર ન હોય ત્યારે આડેધડ કામ કરીને પાઈપ લાઈન તોડી નાખવામાં આવે છે અને ખેતરોમાં રહેલ પાકને નુકશાન કરે છે

હાલમાં જે લોખંડની મોટી પાઈપ લાઇન નાખે છે તેને જમીનમાં પાંચ ફૂટ નીચે દાટવાની છે તે હવા ભરાવાથી જમીનથી બહાર ૩ ફુટે ઉપર આવી ગયેલ છે . જેથી ખેડૂતોની પીવીસી પાઈપ તોડી નાંખેલ છે અને લોખંડની પાઈપ હવે નીચે જતી નથી અને ફકત કોટીંગવાળા મોડા આવવાના કારણે પાઇપ લાઇન દાટેલ ન હોવાથી ખેડૂતોને નુકશાન થાય છે આટલું જ નહીં ચોમાસાના પાણીનો નિકાલ બંધ થઈ ગયેલ છે આ માટે અગાઉ રજૂઆતો કરવામાં આવી છે તો પણ તેનું નહિવત અને આંશિક પરિણામ આવ્યું હતું આજ સુધી ખેડુતોએ પુરતો સહકાર આપ્યો છે હવે ખેડૂતોની સહન શક્તિની હદ આવી ગઈ છે અને આ સામુહિક સમસ્યા હોવાથી ગંભિર સ્વરૂપ ધારણ કરી શકે છે અને કોન્ટ્રાક્ટર કામ અધુરું મૂકી જતા રહ્યા છે ત્યારે સમય મર્યાદાને ધ્યાને લઈ વર્ક ઑર્ડર મુજબ કામ પૂરું કરાવવા અને બગડેલા રોડ રસ્તાવોકળા મુળ સ્થિતિમાં કરી આપવા રજૂઆત કરવામાં આવી છે 






Latest News