તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના સરતાનપર રોડ ઉપર રિક્ષા પલ્ટી જતા બે ને ઈજા, એકને રાજકોટ ખસેડાયો


SHARE











મોરબીના સરતાનપર રોડ ઉપર રિક્ષા પલ્ટી જતા બે ને ઈજા, એકને રાજકોટ ખસેડાયો

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા સરતાનપર રોડ ઉપર રિક્ષા પલ્ટી મારી જવાનો બનાવ બન્યો હતો જેમાં બે લોકોને ઈજાઓ પહોંચતા અહીંની સિવિલમાં ખસેડાયા હતા અને બે પૈકીના એકને વધુ ઇજા હોવાથી તેને રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરતાનપર રોડ ઉપર રીક્ષા પલ્ટી મારી જવાનો બનાવ બન્યો હતો જેમાં મોરબીના વીશીપરામાં આવેલી મદીના સોસાયટીમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવીંગનું કામ કરતા સોહીલ હુસેનભાઇ સુમરા નામના ૨૪ વર્ષીય યુવાનને તેમજ મોરબીના મકનસર પાસે રહેતાં સંતોષસિંહ પદમસિંહ રાજપૂત નામના ૫૧ વર્ષીય આધેડને ઇજા પહોંચી હોય બંનેને સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યા હતા. જોકે સોહીલ સુમરાને વધુ ઈજાઓ હોવાથી હાલ તેને રાજકોટ ખસેડાયા હોવાનું તપાસ અધિકારી એ.એલ.પરમાર પાસેથી જાણવા મળેલ છે.લયવધુમાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે રિક્ષા પલ્ટી મારી ગઇ હોવાનો બનાવ બન્યો છે જેમાં સોહીલ ડ્રાઇવિંગ કરતો હોય અને સંતોષસિંહ મુસાફર તરીકે બેઠા હોય દરમિયાનમાં સરતાનપર રોડ ઉપર રિક્ષા પલ્ટી જતા બંનેને ઈજા થઈ હોય હાલ ઇજાગ્રસ્ત સોહીલ સુમરાને રાજકોટ ખસેડાયો છે.

ઝેરી દવા પી જતાં યુવાન સારવારમાં

ટંકારા પોલીસ મથકની હદમાં આવેલા ઘુનડા (ખાનપર) ગામે રહેતા સાગર કાનજીભાઈ વરાણીયા નામના ૧૯ વર્ષીય યુવાને તેના ગામમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો બનાવની જાણ થવાથી મોરબી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ ટંકારા પોલીસ મથકની હદનો હોય ટંકારા પોલીસને બનાવ સંદર્ભે જાણ કરી હતી જેથી હાલ ટંકારા પોલીસે નોંધ કરીને બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ધરપકડ

મોરબીના બી ડિવિઝન પોલીસ મથકની હદમાં બનેલ મારામારીના બનાવમાં તપાસ અધિકારી વી.ડી.મેતાએ હાલમાં હનીફ અબ્બાસ ભટ્ટી મિંયાણા (૨૧) અને કરીમ અબ્બાસ ભટ્ટી મિંયાણા (૨૨) રહે.બંને કાજરડા માળીયા મીંયાણા તેમજ હુસેન હાસમ મોવર મિંયાણા (૨૭) રહે.શહેનસાહવલીના ઢાળીયા પાસે માળીયા મીંયાણાની મારામારીના બનાવમાં ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.






Latest News