ઘોર બેદરકારી: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે ઉપર ડિવાઇડરમાં નીચે સ્ટ્રીટ લાઇટ વાયરો ચાલુ !
મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર, સુરજબાગ અને બાલમંદિર પાસે સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવાની સ્થાનિક લોકોની માંગ
SHARE
મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર, સુરજબાગ અને બાલમંદિર પાસે સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવાની સ્થાનિક લોકોની માંગ
મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર તથા સુરજબાગ અને બાલમંદિર પાસે જે સ્ટ્રીટ લાઈટના પોલ હતા તેને રોડના કામ દરમિયાન કાઢી નાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્યાં નવા પોલ મુકવામાં આવ્યા નથી જેથી સ્ટ્રીટ લાઈટો બંધ થઈ ગઈ છે જેથી સ્થાનિક રહેવાસીઓ દ્વારા અવારનવાર મોરબી મહાનગરપાલિકામાં લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી જેથી વધુ એક વખત મોરબી મહાનગરપાલિકામાં સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, રેલવે સ્ટેશન રોડ શેરી નં. 1, 2, 3 તથા સૂરજબાગ અને બાલમંદિર પાસે જે સ્ટ્રીટ લાઈટના પોલ હતા તે પોલને કાઢી નાખવામાં આવ્યા છે અને આ હદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતી હોય ત્યાં સ્ટ્રીટ લાઈટના પોલ ઉભા કરીને સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવામાં આવે તેના માટે અગાઉ ત્રણ વખત લેખિતમાં અરજીઓ કરવામાં આવી છે તેમ છતાં કોઈ કામ કરવામાં આવ્યું નથી અને મહાપાલિકામાંથી સંતોષકારક જવાબ પણ મળતો નથી જેથી આ વિસ્તારના લોકોને રાત્રિ દરમિયાન અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે વહેલી તકે વીજ પોલ ઊભા કરીને સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી છે.