મોરબી મહાપાલિકાના જનરલ બોર્ડમાં સફાઈ, ટ્રાફિક, મચ્છુ નદીની સફાઈ સહિતના પ્રશ્નો ગુંજયા
મોરબીમાં પીજીવીસીએલને લાગતા પડતર પ્રશ્નો માટે મંત્રીની અધ્યક્ષતામાં યોજાશે સમીક્ષા બેઠક
SHARE
મોરબીમાં પીજીવીસીએલને લાગતા પડતર પ્રશ્નો માટે મંત્રીની અધ્યક્ષતામાં યોજાશે સમીક્ષા બેઠક
મોરબીમાં પીજીવીસીએલને લગતા પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા સમીક્ષા બેઠકનું આયોજન કરાયું છે અને આ બેઠકમાં સાંસદ, ધારાસભ્યો, પીજીવીસીએલ રાજકોટ અને મોરબીના મેનેજિંગ ડિરેક્ટર તથા અન્ય અધિકારીઓ હાજર રહેશે.
મોરબીમાં તા. 14 ને સોમવારે સાંજે 4:00 કલાકે પીજીવીસીએલ કયેરી ખાતે સમિક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઉધોગકારોથી લઈને સામાન્ય લોકો સુધી કોઈને પણ પીજીવીસીએલને લગતા કોઈપણ પ્રશ્નો કે રજૂઆત હોય તો તેઓ તા 12 ને શનિવારના રોજ સાંજે 6:00 કલાક સુધીમાં મોરબીમાં ઉમા ટાઉનશીપ ખાતે આવેલા મંત્રીના કાર્યલય ખાતે તે પહોચાડી શકે છે. અને અરજદારોએ પોતાની રજૂઆત ફરજિયાતપણે બે નકલમાં આપવાની રહેશે જેથી સમયસર પ્રશ્નોનું સંકલન કરી સમીક્ષા બેઠકમાં યોગ્ય નિરાકરણ લાવી શકાય તેમ જણાવ્યુ છે.