મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા અડધી રાત્રે અતિ દુર્લભ બ્લડની તાત્કાલિક જરૂરિયાત પૂરી પાડી મોરબીમાં મંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે અવની સોસાયટીના રોડના કામનું કરાયું ખાતમુહૂર્ત મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીટર્નના કેસમાં આરોપીને ડબલ રકમનો દંડ-બે વર્ષની સજા મોરબી જિલ્લામાં છ જગ્યાએ યોજાયેલ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ૪૫૭ બોટલ રક્ત એકત્રિત કરાયું મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠકમાં દબાણો દૂર કરવા-જમીનની માપણી સહિતના પ્રશ્નો મંત્રીની સમક્ષ રજૂ કરાયા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કચ્છમાં સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા મોરબીના લાલપર પાસે ગેસ પાઈપલાઈનમાં લીકેજ થતાં નાસભાગ ટંકારાના લતીપર પાસે વાહન અકસ્માત, બે યુવાન રાજકોટ ખસેડાયા
Breaking news
Morbi Today

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કચ્છમાં સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા


SHARE





વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કચ્છમાં સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા યોજાયેલા વિવિધ કાર્યક્રમો વિજ્ઞાન અને સંશોધનને પ્રોત્સાહન, દિવ્યાંગજનોને સશક્તિકરણ અને ટી.બી.મુક્ત કચ્છ માટે આરોગ્યલક્ષી જનસેવા એવા ત્રણ મહત્વપૂર્ણ ક્ષેત્રોને કેન્દ્રસ્થાને રાખીને સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.  

આ તકે સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગોને વિકાસની મુખ્યધારામાં જોડવા અને સેવા, સંકલ્પ અને સશક્તિકરણના ભાવ સાથે કચ્છના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવાનો છે. આંબેડકર ભવન, હોસ્પિટલ રોડ, ભુજ ખાતે દિવ્યાંગમિત્રોને સાધન સહાય ઉપલબ્ધ કરાવવાના હેતુસર દિવ્યાંગ લાભાર્થી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સહાય અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા, દિવ્યાંગોને મુસાફરી માટે ફ્રી બસ પાસ આપવામાં આવ્યા હતા.  દિવ્યાંગમિત્રો માટે દિવ્યાંગ લાભાર્થી મેળોયોજાયો.

ટી.બી. હોસ્પિટલ ગ્રાઉન્ડકેમ્પ એરીયા, ભુજ ખાતે ટી.બી.મુક્ત કચ્છ અભિયાનઅંતર્ગત કચ્છ લોકસભા વિસ્તારના તમામ ટી.બી. દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટી.બી. સામેની લડતમાં માત્ર દવાઓ જ નહીં પરંતુ યોગ્ય પોષણ, નિયમિત સારવાર અને સમાજના સહયોગનું પણ મહત્વ છે, તે અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ટી.બી.મુક્ત કચ્છના સંકલ્પને સાકાર કરવા માટે દરેક વ્યક્તિ, પરિવાર અને સમાજે સાથે મળીને પ્રયાસ કરવા તથા ટી.બી.ના દર્દીઓને સારવાર દરમિયાન જરૂરી સહયોગ અને પોષણ મળી રહે તે માટે સંવેદનશીલ અભિગમ અપનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

રિજનલ સાયન્સ સેન્ટર મધ્યે નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST), રિજનલ સાયન્સ સેન્ટર-ભુજ, કચ્છમિત્ર જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર- ભુજ અને કચ્છ લોકસભા સાંસદ વિનોદભાઇ ચાવડાના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં નવી પેઢીને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ સેમિનારમાં વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા, સંશોધનવૃત્તિ અને નવીન વિચારસરણીને પ્રોત્સાહન મળે તેવા વિવિધ વિષયો અંગે માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી.  આ કાર્યક્રમોમાં કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રભાબેન હુણ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.




Latest News