મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ખાતમુર્હત કરેલ કામો ચાલુ અને કામોની એગ્રીમેન્ટની કોપી સાર્વજનિક કરવાની માંગ


SHARE













મોરબીમાં ખાતમુર્હત કરેલ કામો ચાલુ અને કામોની એગ્રીમેન્ટની કોપી સાર્વજનિક કરવાની માંગ

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ પાલીકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને સરકારના મંત્રી તેમજ પાલિકા દ્વારા ઘણા બધા ખાતમુર્હત કરવામાં આવેલ છે. જે પૈકીનાં અમુક કામો જ ચાલુ થયેલ છે. સરકારના નિયમની જોગવાઈ મુજબ જે જગ્યાએ કામ ચાલતું હોય ત્યાં સરકાર કે નગરપાલિકા દ્વારા જે તે કામના કોન્ટ્રકાટરની  સાથે કરવામાં આવેલ અગ્રીમેન્ટની એક નકલ ચાલતા કામના સાઈટ ઉપર રાખવી હોય છે તે મૂકવામાં આવતી નથી જેથી કરીને કામ ઉપર એગ્રીમેન્ટની કોપી રાખવામાં આવે અને ખાતમુર્હત કરેલ કામો ચાલુ કરવામાં આવે તેવી માંગ કરેલ છે

તેઓએ વધુમાં કહ્યું છે કે, મોરબીમાં કોન્ટ્રાકટ અને અધિકારીઓની મિલી ભગત જો થઇ જાય તો મોટા પાયે ભ્રષ્ટ્રાચાર થવાની શક્યતાઓ રહેલ છે. જેથી કરીને કામના સ્થળ ઉપર અગ્રીમેન્ટની કોપી હોય તે જરૂરી છે જેથી લોકો જાણી શકે છે કે કેટલી રકમનું કામ છેકેટલા સમયમાં પૂરું કરવાનું છેકામની ગુણવત્તા છું છે ?, કામ ના સ્પેસીફીકેશન શું છે જેથી સરકારના પૈસા કે જે જાહેર જનતા પાસેથી ઉઘરાવેલ ટેકસથી આવે છે તેનો યોગ્ય ઉપયોગ થાય છે કે પછી ગેરરીતી થાય છે તેની માહિતી લોકોને મળી શકે છે અને હીરાસરીના માર્ગનું કામ ચાલુ થયેલ છેજે કામ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરીને મંજુર થયેલ છે જેનું ખાતમુર્હત કર્યાં પછી ઘણા દિવસો બાદ પણ આ કામને ચાલુ કરેલ છે અને અગાઉ આ રસ્તાનું કામ જયારે થયેલ ત્યારે તેમાં ગેરરીતી થયેલનું જાણવા મળેલ હતું. અને કામની ગુણવતા પણ નબળી હતી. જેના કારણે સિમેન્ટ કોન્ક્રીટ રોડ ખુબ જ જલ્દી તૂટી જવા પામેલ છે આ વાતનું પુનરાવર્તન ન થાય તે માટે યોગ્ય કરવાની માંગ કરી છે અને આ કામના એગ્રીમેન્ટની નકલ પણ માંગી છે કેમ કે તે સ્થળ ઉપર મૂકવામાં આવેલ નથી જો પાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી નહિ કરવામાં આવે તો આગામી દિવસોમાં ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની ચીમકી તેઓએ ઉચ્ચારી છે 




Latest News