મોરબીમાં ખાતમુર્હત કરેલ કામો ચાલુ અને કામોની એગ્રીમેન્ટની કોપી સાર્વજનિક કરવાની માંગ
મોરબીમાં મકરસંક્રાંતિએ પક્ષીઓને બચાવવા કર્તવ્ય જીવદયા ટ્રસ્ટ રહેશે ખડેપગે
SHARE
મોરબીમાં મકરસંક્રાંતિએ પક્ષીઓને બચાવવા કર્તવ્ય જીવદયા ટ્રસ્ટ રહેશે ખડેપગે
મોરબીમાં મકરસંક્રાંતિએ લોકો પોતાના ધાબા ઉપર ચડીને પતંગો ચગાવતા હોય છે ત્યારે ઘણા પક્ષીઓ ઘાયલ થાય છે તેને તાત્કાલિક સારવાર મળે તે માટે દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓના જીવાને બચાવવા માટે કર્તવ્ય જીવદયા ટ્રસ્ટના યુવાનો સહિતની ટિમ ખડેપગે રહેશે
છેલ્લા ચાર વર્ષથી મોરબીમાં કર્તવ્ય જીવદયા ટ્રસ્ટ પશુ-પક્ષીઓની સેવા કરે છે અને ખાસ કરીને મોરબીમાં મકરસંક્રાંતિએ લોકો પતંગ ચગાવે છે અને પછી દોરીઓ જયા ત્યાં ફેંકી ડેટા હોય છે તેના લીધે સંખ્યાબંધ પશુપક્ષીઓને ઇજાઓ થાય છે અને ઘણાના મોત પણ થાય છે જો કે, ઇયજા થયેલા પક્ષીઓને બચાવવા માટે દર વર્ષે કર્તવ્ય જીવદયા ટ્રસ્ટના યુવાનો સહિતની ટિમ ખડેપગે રહેતી હોય છે આવી જ રીતે આ વર્ષે પણ ખડેપગે રહેશે અત્રે ઉલેખનીય છે કે, ૧૮ થી ૨૫ વર્ષના ૫૦ જેટલા યુવાનો આ સંસ્થા ચલાવે છે. આ વર્ષે પક્ષીઓનો જીવ બચાવવા માટે પક્ષીઓ કહેતા હોય તેમ “મને બચાવો”ના ૭૦૦ થી વધુ પોસ્ટર વાહનોમાં અને જાહેર સ્થળો ઉપર લગાવવામાં આવેલ છે