મોરબીમાં ત્રિપાંખિય સાધુ સમાજના પ્રમુખ પદે નિમાવત ધર્મેન્દ્રભાઈ છગનભાઈ
SHARE
મોરબીમાં ત્રિપાંખિય સાધુ સમાજના પ્રમુખ પદે નિમાવત ધર્મેન્દ્રભાઈ છગનભાઈ
મોરબીના પાડા પુલ પાસે આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ત્રિપાંખિય સાધુ સમાજની મીટીંગ રાખવામાં આવી હતી અને માર્ગી સાધુ સમાજ, અતીત સાધુ સમાજ અને રામાનંદી સાધુ સમાજના આગેવાનોની સર્વસંમતિથી મૈત્રી સાધુ સમાજ એટલે કે ત્રિપાંખિય સાધુ સમાજની રચના કરવામાં આવેલ છે જેમાં ત્રિપાંખિય સાધુ સમાજના હોદ્દેદારોની બિન હરીફ કરવાનું વરણી કરવામાં આવેલ છે અને પ્રમુખ પદે નિમાવત ધર્મેન્દ્રભાઈ છગનભાઈ (સુખરામ બાપુ) ઉપપ્રમુખ પદે દુધરેજીયા ચિરાગભાઈ દિનકરભાઇ, મહામંત્રી પદે ગોસ્વામી હેમાંગગિરી રાજેશગીરી, ખજાનચી પદે સરપદકીયા હાર્દિક દિલીપભાઈ, સહખજાનચી તરીકે તેજસગિરિ મગનગીરી ગોસ્વામી, સલાહકાર તરીકે વૈષ્ણવ મનીષભાઈ શિવરામદાસ, નિમાવત દિનેશભાઈ સુખરામભાઇ અને ગોસ્વામી હંસગીરી ઓઘડગીરીની નિમણૂક કરવામાં આવેલ છે આ મિટિંગમાં ત્રિપાંખિય સાધુ સમાજના સભ્યો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ મીટીંગ પૂર્ણ થયા બાદ મંદિરમાં પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું તેવું નીલકંઠ મહાદેવ મંદિરના મહંત ગુલાબગીરી ગોસ્વામી જણાવેલ છે