મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ૪ બાળકો સહિત કોરોનાના ૫૧ નવા કોરોના પોઝીટીવ કેસ: આરોગ્ય વિભાગ-વહીવટી તંત્રમાં દોડધામ


SHARE













મોરબી જીલ્લામાં ૪ બાળકો સહિત કોરોનાના ૫૧ નવા કોરોના પોઝીટીવ કેસ: આરોગ્ય વિભાગ-વહીવટી તંત્રમાં દોડધામ

મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને ગઈકાલના દિવસમાં મોરબી જિલ્લાની અંદર વધુ ૫ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં ચાર બાળકોનો પણ સમાવેશ થાય છે અને આજની તારીખે મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા કુલ મળીને ૨૦૭ થઈ ગયેલ છે અને મોરબી શહેર તેમજ જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં લોકો કોરોનાથી સંક્રમિત થયા છે તે જોતાં આગામી દિવસોમાં કોરોના હજુ પણ લોકોની ચિંતામાં વધારો કરશે તેવું કહીએ તો તેમાં જરાપણ તિશયોક્તિ નથી

મોરબી જીલ્લામાં કોરોનાના પોઝીટીવ કેસની સંખ્યામાં ચિતાજનક રીતે વધારો થઇ રહ્યો છે અને કોરોનાની બીજી લહેર વખતે મોરબીમાં કોરોનાના દર્દીઓ તેમજ તેના પરિવારજનોની હાલત દાયનીય બની ગઈ હતી તે જાણે કે લોકો ભૂલી ગાય હોય તેવી બેદરકારી હાલમાં લોકો રાખી રહ્યા છે જેથી આજની તારીખે મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં કોરોનાનો કેસ આવવા લાગ્યા છે અને તેમાં પણ ખાસ કરીને તેમાં વિદ્યાર્થીઓ અને બાળકોમાં આ વખતે કોરોનાના કેસ વધુ સામે આવે છે

મોરબી જીલ્લામાં ગઇકાલે ૧૪૪૯ લોકોના સેમ્પલ લેવામાં આવેલ હતા જેમાથી ચાર બાળકો સહિત ૫૧ નવા કોરોનાના પોઝિટિવ કેસ સામે આવેલ છે જો કે, કોરોનાના કેસ વધી રહ્યા છે તેની સામે કોરોનાનું સંક્રમણ લોકોને કેવી રીતે લાગી રહ્યું છે તે સામે આવતું નથી તે હકકીત છે આજની તારીખે શહેરના જુદાજુદા એરીયામાં તેમજ જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાં ધીમેધીમે કરતાં કોરોનાના ૨૦૭ એક્ટિવ કેસ થઈ ગયા છે જેથી કરીને આરોગ્ય વિભાગ અને વહીવટી ટંટર્માં દોડધામ મચી ગયેલ છે જો કે, જેને કોરોના આવે છે તે દર્દીઓને કોરોનાનું સંક્રમણ કયાં લાગી રહ્યું છે તે સામે આવતું નથી




Latest News