મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના રામઘાટ પાસે પુલની રેલિંગની દીવાલ તોડીને કાર નીચે ખાબકી, યુવાન રાજકોટ ખસેડાયો


SHARE











મોરબીના રામગઢ પાસે આવેલ શિતળા માતાના મંદિર પાસે પુલની રેલિંગની દિવાલ તોડીને બ્લેક કલરના વેરના કાર નંબર જીજે ૩૬ એફ ૫૨૪૨ ૩૦ ફૂટ નીચે ખાબકી હતી જેથી કરીને કારમાં સવાર યુવાનને ગંભીર ઇજાઓ થવાથી મોરબી અને બાદમાં વધુ સારવાર માટે હાલમાં રાજકોટ લઇ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રો તેમજ અન્ય સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના પટેલ નગર આલાપ રોડ લવકુશ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર ૭૦૪ માં રહેતા અને મૂળ માળિયા-મિયાણા તાલુકાના ખીરઇ ગામના વતની કે જેઓ થોડા સમય પહેલાં રાજકોટ રહેતા હતા અને હાલ મોરબી સ્થાયી થયેલ છે તે ચિરાગભાઈ પ્રેમજીભાઈ ધનજીભાઈ સાણજા નામનો ૩૬ વર્ષીય પટેલ યુવાન ગત રાત્રીના નવેક વાગ્યે તેની વરના કાર લઈને સામાકાંઠેથી મોરબી તરફ આવવા માટે નીકળ્યો હતો અને દરબારગઢ ચોક, શીતળા માતા મંદિર થઇને તે આલાપ રોડ પટેલ નગર વિસ્તારમાં તેના ઘરે જઇ રહ્યોં હતો દરમિયાનમાં શીતળા માતાના મંદિર નજીક આવેલા પાણીના ટાંકા પાસે પુલની રેલીંગની દિવાલ તોડીને તેની વેરના કાર કોઇ કારણોસર ૩૦ ફૂટ નીચે ખાબકી હતી અને જેના લીધે ગંભીર ઇજાઓ થવાથી ચિરાગ પ્રેમજીભાઈ સાણજા નામના ૩૬ વર્ષીય યુવાનને પ્રથમ અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ પેટના ભાગે ગંભીર ઇજાઓ હોવાના પગલે તેને વધુ સારવાર રાતે રાજકોટ સિનર્જી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવેલ છે.

વધુમાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઇજાગ્રસ્ત ચિરાગ પ્રેમજીભાઈ સાણજા મુળ ખીરઇ ગામના વતની છે અને અગાઉ રાજકોટ રહેતા હતા અને છેલ્લા થોડા સમયથી મોરબીના આલાપ રોડ પટેલનગરમાં આવેલા લવકુશ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર ૭૦૪ માં રહે છે.હાલ ચિરાગભાઈ સાણજા ચાઇનાથી મશીનરીના સ્પેરપાર્ટસ તેમજ કેમિકલ આયાત કરીને તેના ટ્રેડિંગનું કામકાજ કરે છે. દરમિયાનમાં ગઈકાલે રાતના નવેક વાગ્યે તેઓ સામેકાંઠે તેઓની ટ્રેડિંગ ઓફિસેથી પરત ઘરે જવા નીકળ્યા હતા અને દરબારગઢ થઈ શીતળા માતાના મંદિરે નજીક રામઘાટની પાસે પહોંચ્યા ત્યારે કોઈ કારણોસર તેઓની કાર પુલની રેલિંગની દીવાલ તોડીને ૩૦ ફૂટ નીચે નીચે ખાબકી હતી જોકે પાછળ આવતા વાહન ચાલકે અન્યોને અટકાવી નિચે જઇને જોતા પેટના ભાગે ગંભીર ઇજા સાથે ચિરાગભાઈ સાણજાને અહીં ક્રિષ્ના હોસ્પીટલે અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એમ.એમ.દેગામડીયાએ આગળની તપાસ હાથ ધરી છે.

અત્રે નોંધનીય છે કે શહેરના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક હળવો થાય તે માટે આ રસ્તો વૈકલ્પિક રીતો ખુલ્લો મુકવામાં આવ્યો છે અને ઘણા લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે જોકે અહીં એક નવી સમસ્યા ધ્યાને આવેલ છે કે અહીં રોડ ઉપર ગૌવંશ માટે ઘાસચારો નાખવા માટે લોકો ઉભા રહી જાય છે અને તેઓ ઘાસચારો રોડ ઉપર જ નાખતા હોવાને લીધે ખૂબ મોટી સંખ્યામાં ઢોર આંટા મારતા હોય છે તેના લીધે આ અકસ્માત સર્જાયો છે કે અન્ય કોઈ વાત છે એ તો તપાસનો વિષય છે. આ રીતે જ મોરબીના સામાકાંઠે જવા માટે કરોડોના ખર્ચે બનેલા બેઠાપુલ ઉપર પણ સવારના ઘઆસચારો લઈને લોકો ઉભા રહેતા હોય છે અને દાનવિરો રોડ ઉપર જ ઉભા રહીને રોડ પાસે ઘાસચારો નાંખતા હોવાનું ધ્યાને આવેલ છે. આવી જ સમસ્યા મોરબીના રેલ્વે સ્ટેશન પાસે આવેલા ધક્કાવાળી મેલડી માતાના મંદિર નજીક પણ જોવા મળે છે કે જ્યાં મુખ્ય રોડ ઉપર લઈને લોકો ઘાસચારો લઇને વહેંચવા માટે બેસી જાય છે અને આવતાજતા લોકો અને ગૌભક્તો ત્યાંથી જ ઘાસ લઈને રોડ નજીક નાખતા હોય છે જોકે તેના લીધે રસ્તા ઉપર વાહન ચાલકોને અડચણ થાય તે રીતે સતત ઢોર રોડ ઉપર રઝડતા રહે છે અને જેના લીધે કોઇને કોઇ અકસ્માત સર્જાય છે માટે રોડ ઉપર ઘાસચારો લઈને બેસતા લોકોને મુખ્ય રોડ ઉપરથી અંદરના ભાગે હટાવવામાં આવે તે પણ જરૂરી બન્યુ છે. પરંતુ આવી લોકોને કનડતી નાની-નાની સમસ્યાઓ પરત્વે કોઈનું ધ્યાન જતું નથી તે અહિંના અધિકારીઓ અને ખાસ કરીને ચૂંટાયેલા પદાધિકારીઓ માટે પણ શરમજનક જ કહેવાય.






Latest News