મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વિરવિદરકા ગામે યુવાનની તીક્ષ્ણ હથિયાર-પથ્થર મારીને હત્યા


SHARE

















માળીયા (મી)ના વિરવિદરકા ગામે યુવાનની તીક્ષ્ણ હથિયાર-પથ્થર મારીને હત્યા

 માળીયા(મી)ના વિરવિદરકા ગામે તળાવના કાંઠે યુવાનની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી જે બનાવની માળીયા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે ઘટના સ્થળે પહોચીને લાશને પીએમ માટે ખસેડીને હાલમાં મૃતકના ભાઈની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને શોધવા માટે તપાસ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વિરવિદરકા ગામે અંગારના વાડા તરીકે ઓળખાતી જગ્યામાં યુવાનની હત્યા કરેલી હાલતમાં લાશ પડી હોવાની ગામના લોકોએ પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ સ્થળ ઉપર પહોચી હતી અને મૃતક યુવાન રોહિતભાઈ જીવાભાઈ સુરેલા (૨૭) હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને હત્યાના આ બનાવમાં પોલીસે મૃતક યુવાનના ભાઈ મહેશ જીવાભાઈ સુરેલા રહેવિરવિદરકા વાળાની ફરિયાદ લઈને અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે વધુમાં પોલીસે જણાવ્યુ છે કેમૃતક યુવાન રોહિતભાઈને માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર અને પથ્થર મારીને તેની હત્યા કરવામાં આવી છે




Latest News