મોરબીના સોખડા ગામના ખેડૂતોનો MRC કમિટીમાં પ્રતિનિધિ આપવાનો નનૈયો ભાજપના સભ્યોમાં ગણગણાટ: મોરબી મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાંથી હટાવવામાં આવેલા પાંચેય સભ્યોને ચેરમેન પદની લ્હાણી કેમ ?, બીજા કોઈ લાયક નથી ! રોટરી ક્લબ ઓફ મોરબીના પ્રમુખ પદે હુઝૈફાભાઈ લાકડાવાલા-સેક્રેટરી પદે સોનલબેન શાહની વરણી મોરબી જે.એલ.મહેતા વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા વ્યસનમુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડાં ?: મોરબીમાં ફાસ્ટફૂડ-હોટલમાંથી ફૂગ વાળા પીઝા રોટલા, વસી નુડલ્સ, ભાત અને મંચુરિયનનો જથ્થો મળ્યો ! મોરબીમાં નંદીઘરના સંચાલન બનાવવામાં આવેલ મોનિટરિંગ ટીમ બરખાસ્ત્ત !: હવે આરોગ્ય ચેરમેનને જવાબદારી સોપાઈ મોરબી જિલ્લામાં શનિવારથી નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબીના મકનસર ખાતે પાકિસ્તાની નાગરિકો માટે એલ.ટી.વી. રીન્યુઅલ અને સિટીઝનશિપ કામગીરી અર્થે શનિવારે ખાસ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં યુવા આર્મી ગ્રુપ, વિહિપ-બજરંગ દળ સહિતનાઓ દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મજયંતી ઉજવાઇ


SHARE







મોરબીમાં યુવા આર્મી ગ્રુપ, વિહિપ-બજરંગ દળ સહિતનાઓ દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મજયંતી ઉજવાઇ

મોરબીના યુવા આર્મી ગ્રુપ દ્વારા સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ફુલહાર પહેરાવીને યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી તા. ૧૨ જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિતે જુદાજુદા કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે રાષ્ટ્રીય યુવા દિવસ‌ની ઉજવણીના ભાગરૂપે યુવા દેશનું ભવિષ્ય હોય છે જે માટે થયને મોરબી યુવા આર્મી ગ્રુપના યુવાનો દ્વારા મોરબીમાં દરબાર ગઢ પાસે આવેલ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને સ્વચ્છ કરીને ફુલહાર ચડાવી યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

બાળકો સાથે ઉજવણી

સ્વામી વિવેકાનંદની જન્મજયંતી નિમિતે મોરબીની નવયુગ બી.એડ. કોલેજમાં અભ્યાસ કરતી અને રવાપર રોડના ગાયત્રીનગરમાં રહેતી ચેલ્સીબેન રાજપરાએ સોસાયટીના બાળકો સાથે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી કરી હતી. આ તકે ચેલ્સીબેન રાજપરાએ વર્ષો પહેલા સ્વામીજીએ નચિકેતાનાં પ્રશ્ન મૃત્યુ બાદ આત્માનું શું થાય છે. ના સવાલ-જવાબના દ્રષ્ટાંતો સાથે રાજયોગકર્મયોગજ્ઞાનયોગમારા ગુરુવર્તમાન ભારત જેવા ગ્રંથોના રચના કરી છે તેની માહિતી આપી હતી અને ત્યારે શિવ રાજપરાહેત રાણસરીયાઆયુષ જાકાસણીયાઅક્ષર ગામોટક્રિષ્નવી માકાસણા,  સ્વેની રંગપરીયાદર્શિતા બરાસરાને ચેલ્સીબેન રાજપરાએ વિચારો કેટલા મહાન છે તેની માહિતી આપી હતી

વિહિપ-બજરંગ દળ દ્વારા ઉજવણી

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા યુવા પેઢીના પ્રેરણા સ્તોત્ર સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીનો દિવસ એટલે કે, ૧૨ જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાય છે અને તેમના અમૂલ્ય વિચારો યુવાનોને ઉજળું ભવિષ્ય બનાવવા માટે પ્રેરિત કરતા રહે છે તે માટે મોરબીના દરબારગઢ ચોકમાં મૂકવામાં આવેલ સ્વામી વિવેકાનંદ પ્રતિમાને વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ કમલેશ બોરીચાબજરંગદળની ટીમના કાર્યકર્તા  દ્વારા ફુલહાર કરીને સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ ઉજવી હતી

રોડનું નામકરણ કરાયું

મોરબી નગરપાલિકા દ્રારા રામચોકથી વાઘપરા સુધી રોડનું નામ કરણકરવા માટે પાલિકામાં અગાઉના જનરલ બોર્ડમા ઠરાવ કરવામાં આવેલ હતો અને સ્વામી વિવેકાનંદજી રોડનું નામકરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને આ વિસ્તાર લોકોએ ગઇકાલે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિતે તે રોડ ઉપર બોડૅ મૂકીને રોડનું નામકરણ કરીને સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ ઉજવી હતી






Latest News