મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

સાંસદ વિનોદ ચાવડાએ ૩૦૦ બેડની આધુનીક હોસ્પિટલ ગાંધીધામમાં બનાવવા રજુઆત કરી


SHARE













સાંસદ વિનોદ ચાવડાએ ૩૦૦ બેડની આધુનીક હોસ્પિટલ ગાંધીધામમાં બનાવવા રજુઆત કરી

૩૦૦ બેડની અત્યાધુનિક પીજીઆઇ સમકક્ષ હોસ્પિટલ ગાંધીધામમાં બને માટે મોરબી-કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ કેન્દ્રિય હેલ્થ મિનિસ્ટર પાસે રજુઆત કરેલ છે.

ઔધોગિક હબ ગાંધીધામ મધ્યે પીજીઆઇ સમકક્ષ ૩૦૦ બેડની હોસ્પિટલ બનાવવા કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ભારત સરકારના હેલ્થ અને ફેમિલી વેલ્ફર મંત્રી મનસુખભાઈ માંડવિયાને પત્ર લખી માંગણી કરેલ છે.પોષ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ (PGIMER) સમકક્ષ હોસ્પિટલ ગાંધીધામમાં બને તેવો પત્ર કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવિયા તથા ગુજરાતના મુખ્યમંત્રી અને આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ મંત્રીને પણ પાઠવતા સાંસદ વિનોદભાઇએ જણાવ્યુ હતું કે, ગાંધીધામ મધ્યે સુવિધા સભર, સુપર સ્પેશિયાલીટીઝ અને શૈક્ષણિક તબીબી સંસોધન વાળી ૩૦૦ બેડની હોસ્પિટલ બને અને બીમાર પીડિતોને માનવીય સંવેદના સભર સેવા સ્થાનિકે મળી રહે અને દર્દીઓને અમદાવાદ, રાજકોટ કે મુંબઇ સુધી ધક્કા ન ખાવા પડે અને ગંભીર રોગોનું નિદાન અને સારવાર મળી રહે તેવી રજુઆત કરવામાં આવેલ છે.




Latest News