ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા મોરબી શહેર-તાલુકા અને હળવદ તાલુકામાં દારૂની 5 રેડમાં 110 બોટલ દારૂ ઝડપાયો મોરબીના જુના લીલાપર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત હળવદના ગોલાસણ ગામે વાડીએ જાટકાના વાયરમાંથી શોર્ટ લાગતા યુવાનનું મોત ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો
Breaking news
Morbi Today

મોરબીના વન વિભાગના નિવૃત અધિકારીઓને પગારમાં અન્યાય: કલેકટરને કરી રજૂઆત


SHARE













મોરબીના વન વિભાગના નિવૃત અધિકારીઓને પગારમાં અન્યાય: કલેકટરને કરી રજૂઆત

મોરબી વન વિભાગમાથી નિવૃત થયેલા અધિકારીઓને પગારમાં અન્યાય કરવામાં આવી રહ્યો છે જેથી કરીને અધિકારીઓ દ્વારા ઉચ્ચતર પગાર ધોરણમાં અન્યાય દૂર કરવા માટે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં લખ્યું છે કે, સરકારે વનપાલ સંવર્ગનું નામાભિધાન વન વિસ્તરણ મદદનીશ કરીને વનપાલની ભરતીના માપદંડો, ફરજ અને પગાર ધોરણ એકસરખા ૩૩૦-૫૬૦ પ્રમાણે કરેલ છે અને વર્ષ ૧૯૭૭ થી ૧૯૮૪ના સમયગાળામાં ૭૫૦ જેટલા વન વિસ્તરણ મદદનીશની ભરતી કરી હતી. પરંતુ સરકાર દ્વારા પગાર ચૂકવવામાં ભેદભાવ રાખવામા આવેલ છે અને સરકારે જે સમયે પ્રમોશન ન આપીને મળવાપાત્ર પગાર ધોરણ ૧૬૪૦-૨૯૦૦ ના બદલે૧૪૦૦-૨૬૦૦ પગાર આપીને અન્યાય કરેલ છે જેથી નિવૃત અધિકારીઓને અન્યાય સાથે આર્થિક નુકસાન થાય છે માટે વન વિસ્તરણ મદદનીશોના ઉચ્ચતર પગાર ધોરણમાં થયેલ અન્યાય અને સમયાંતરે થયેલા સુધારા વધારાને ધ્યાને લઇ જુનિયર કર્મચારીઓની સાપેક્ષમાં સિનિયર કર્મચારીઓને પગારમાં થતો અન્યાય દૂર કરવાની માંગ કરેલ છે






Latest News