મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાતના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાને કોરોના પોઝિટિવ


SHARE







મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાતના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાને કોરોના પોઝિટિવ

 મોરબી સહિત ગુજરાતમાં કોરોના કેસની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે અને છેલ્લા દિવસે વાત કરીએ તો ગુજરાતનાં કેટલાક મંત્રી, ભાજપના અનેક હોદ્દેદારો તેમજ અન્ય લોકોને કોરોના પોઝિટિવ આવે છે દરમિયાન આજે મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજાને કોરોના લક્ષણો જણાતા તેને કોરોના રિપોર્ટ કરાવ્યો હતો જેમાં તેને કોરોના પોઝિટિવ આવે છે જેથી કરીને તે હાલમાં જોમ કોરેંટાઇન થયેલા છે અને છેલ્લા દિવસોમાં તેના સંપર્કમાં આવેલા લોકોને કોરોના લક્ષણો જણાતા હોય તો તાત્કાલિક કોરોના રિપોર્ટ કરવા માટે અપીલ કરી છે

મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધુ આવી રહી છે અને દર્દીઓની સારવાર પણ તાત્કાલિક શરૂ કરવામાં આવે છે જો કે, કેસ સતત વધી રહી હોવાથી આરોગ્ય વિભાગ અને અન્ય લોકોની પણ ચિંતા વધી રહી છે તેવામાં આજે મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજાને કોરોનાના લક્ષણ જણાતા તેઓએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેમાં તેને કોરોના પોઝિટિવ આવેલ છે અને બ્રિજેશભાઈ મેરજાને કોરોના પોઝિટિવ આવતા તેઓ હોમ કોરેંટાઈન થયેલ છે તેઓએ પોતે સોસયલ મીડિયાના માધ્યમથી તે કોરોના પોઝિટિવ આવેલ છે તેની જાણ કરી છે અને તેના સંપર્કમાં છેલ્લા દિવસોમાં આવેલા ભાજપના હોદ્દેદારો, આગેવાનો તેમજ સરકારી જુદા જુદા વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓને જો કોરોનાના લક્ષણો જણાતા હોય તો તેઓએ પણ વહેલી તકે કોરોનાનો ટેસ્ટ કરાવવા માટેની અપીલ કરી છે અને ખાસ કરીને હાલમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે દરેક લોકોને તકેદારી રાખવા માટે પણ તેઓઅનુરોધ કર્યો છે 






Latest News