મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

હળવદની બજાર માં ઠેર ઠેર કચરાના ઢગ થી વેપારીઓમાં રોષ


SHARE













હળવદની બજાર માં ઠેર ઠેર કચરાના ઢગ થી વેપારીઓમાં રોષ
શનિવારે નગરપાલિકાના સફાઈ કામદારો ટ્રેક્ટર લઈને  નહીં આવતા શહેર કચરાના ઢગ થી ગંદકીનું સામ્રાજ્ય
 
શહેરમાં લોકોને ગંદકી ન ફેલાય તે માટે નગરપાલિકા દ્વારા દરરોજ ટ્રેક્ટર દ્વારા સફાઇ કામદારની સાથે સવારે અને બપોરે બે  ટાઈમ શહેરના મુખ્ય બજારોમાં.  ટેકટર દ્વારા કચરો નિકાલ કરવામાં આવે છે પરંતુ શનિવારે નગરપાલિકાનું ટ્રેક્ટર કે સફાઇ કામદારોના નહીં આવતા વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠયો હતો અને ઠેર ઠેર કચરાના ઢગ હોવાથી ગંદકીનું સામ્રાજય જોવા મળ્યું હતું ત્યારે પાલિકા તંત્ર દ્વારા સત્વરે કચરાનો ઢગ નિકાલ કરે તેવી વેપારીઓની માંગ ઉઠવા પામી છે.
 
હાલ કોરોનાના કેસ દિવસે દિવસે વધતા જાય છે મોટા ભાગના ઘરમાં લોકો બીમારીમાં સપડાઇ રહ્યા છે ત્યારે હળવદ નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય બજાર ધાંગધ્રા દરવાજેથી રોડ તેમજ બસ સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં દર રોજ સાંજ સવાર નગરપાલિકાના ટ્રેકટર દ્વારા કચરો  ઉપાડવામાં આવે છે પરંતુ શનિવારે નગરપાલિકાના ટ્રેક્ટર કે સફાઇ કામદારો નહીં આવતા ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળ્યા છે શહેરની એચડીએફસી બેન્ક સામે સરકારી હોસ્પિટલ ની સામે તેમજ નાગરિક બેંક સામે સહિતના વિસ્તારોમાં બજારોમાં ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળ્યા છે જેના કારણે વેપારીઓમાં રોષ ભભૂકી ઊઠયો છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા સત્વરે કચરાનો ઢગલો ઉપાડે તેવી વેપારીઓની માંગ ઉઠવા પામી છે.



Latest News