ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીમાં પેટના દુખાવાથી કારણે કંટાળીને ગળેફાંસો ખાઈ લેતા નવોઢાનું મોત


SHARE













મોરબીમાં પેટના દુખાવાથી કારણે કંટાળીને ગળેફાંસો ખાઈ લેતા નવોઢાનું મોત

મોરબીના વીસીપરામાં આવેલ કુલીનગરમાં રહેતા પરિવારની નવોઢાએ તેના ઘેર ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મોત નીપજયું હતું.પોલીસની પ્રાથમિક તપાસમાં પેટનો અસહ્ય દુખાવો હોય અને તેને લઈને તેણીએ આપઘાત કર્યો હોવાના પ્રાથમિક અનુમાન સાથે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા જાણવા મળતી વિગતો મુજબ શહેરના વીશીપરા વિસ્તારમાં આવેલા કુલીનગર શેરી નંબર-૧ માં રહેતા મુમતાઝબેન મોહમ્મદભાઈ જેડા નામની ૧૯ વર્ષીય નવોઢાએ તેના ઘેર ગળેફાંસો ખાઇ લેતાં તેણીના મૃતદેહને પીએમ માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં સીટી બી ડિવિઝન પોલીસ મથકના વી.ડી.મેતાએ પ્રાથમીક તપાસ કર્યા બાદ પીએસઆઇ એલ.એન.વાઢીયાએ આગળની તપાસ શરૂ કરી હતી. જેમાં મૃતકના પતિએ પોલીસને આપેલ નિવેદનમાં જણાવ્યુ હતુ કે સવારથી જ મુમતાઝબેનને પેટના ભાગે અસહ્ય દુખાવો થતો હોય અને તે અસહ્ય દુખાવાને લઈને તેણીએ સંભવત: અંતિમ પગલું ભર્યું હોય તેવું લાગી રહ્યું છે.પોલીસે મૃતકના પતિએ આપેલી ઉપરોકત કેફિયત ઉપરથી બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.મૃતક મુમતાઝબેન જેડાનો લગ્નગાળો ૧૧ માસનો હતો અને હાલ તેઓને સંતાનમાં કંઈ ન હોવાનું પોલીસ તરફથી જાણવા મળેલ છે.તેમજ મૃતકના પિતા દ્વારા પણ કોઈ જાતની હાલ ફરિયાદ કરવામાં આવી નથી તેમ પીએસઆઇ વાઢીયા દ્વારા જણાવવામાં આવેલ છે.

વૃદ્ધનું મોત

મોરબીના લાલબાગ સેવાસદન નજીક અચાનક બેભાન થઈને ઢળી પડેલા વૃદ્ધને દવાખાને લઈ જવાતા ત્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહેરના સામાકાંઠે આવેલ લાલબાગ સેવસદમમી પાસે તા.૧૬-૧ ના સવારે નવેક વાગ્યે વજાભાઈ આલાભાઇ કરકટા જાતે રબારી (ઉમર ૬૦) રહે.ધરમપુર તા.જી.મોરબી વાળા અચાનક બેભાન થઈને નીચે ઢળી પડ્યા હતા જેથી તાત્કાલિક તેઓને બેભાન હાલતમાં જ સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવતા ત્યાં ફરજ ઉપરના તબીબે જોઈ તપાસીને વજાભાઇ રબારીને મૃત જાહેર કર્યા હતા અને બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતાં હાલ હેડ કોન્સ્ટેબલ જે.એમ.જાડેજાએ બનાવના કારણ જાણવા વિશેરા લઇને મોતના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News