મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

આરોગ્ય તંત્રની કામગીરીથી લોકો ચોંકી ગયા: મોરબીમાં બીજો ડોઝ લેવામાં બાકી હોવા છતાં વેક્સિનેશન સર્ટીફિકેટ ઈશ્યુ !


SHARE













આરોગ્ય તંત્રની કામગીરીથી લોકો ચોંકી ગયા: મોરબીમાં બીજો ડોઝ લેવામાં બાકી હોવા છતાં વેક્સિનેશન સર્ટીફિકેટ ઈશ્યુ !

હાલમાં મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે ત્યારે ઘણા લોકોને કોરોના વેક્સિનેશનનો બીજો ડોઝ લેવાનો બાકી છે તો પણ તેના નામના સર્ટી ઇસ્યુ થવા લાગ્યા છે જેથી કરીને મોરબીના આરોગ્ય વિભાગની કામગીરી જોઈને હાલમાં લોકો ચોંકી ગયા છે અને સરકારી આંકડ બતાવવા માટે આરોગ્ય વિભાગની ટિમ દ્વારા જે રીતે ખોટા સરિત આપવામાં આવી રહયા છે તે જોતા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરી સામે જ સવાલો ઉઠવા લાગ્યા છે

મોરબીમાં દરરોજ લોકોને કોરોના વેક્સિન મૂકવા માટે જુદીજુદી જગ્યાઓ નક્કી કરીને વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે જો કે, મોરબીના ઉદ્યોગપતિ અને કોરોનાની બીજી લહેરમાં લોકોને વિના મૂલ્યે ઑક્સીજનની બોટલો પુરી પડનારા ટી.ડી.પટેલને કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી છે તો પણ તેના મોબાઇલમાં બીજો ડોઝ આપી દીધો હોવાનું સર્ટિફિકેટ આવી ગયું છે અને હવે તે કોરોના વેક્સિન લેવા માટે જાય તો તેને સરકારી ચોપડે વેક્સિન આપી દેવામાં આવી છે જેથી કરીને તે વેક્સિન મળશે કે કેમ તે પ્રશ્ન છે આવી જ રીતે ધર્મીષ્ટાબેન પ્રવીણભાઈ વ્યાસે પણ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધેલ નથી તો પણ તેને સરકારી ચોપડે વેક્સિન આપી દેવામાં આવી છે અને આવી જ રીતે ઘણા બધા લોકોને સરકારી ચોપડે સરકારી આંકડા મોટા બતાવવા માટે વેક્સિન આપવામાં આવી રહી છે જો કે, આરોગ્ય વિભાગના અધિકારીઓની બેદરકારી કે પછી ટેકનિકલ ખામી જે હોય તે પરંતુ જે લોકોને વેક્સિન લીધા વગર જ સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવી રહ્યા છે તેને ભવિષ્યમાં વાસ્તવિક રીતે વેક્સિન મૂકવામાં મુશ્કેલી પડે તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન હિરાભાઇ ટમારીયાએ આ બેદરકારી માટે આરોગ્ય વિભાગના અધિકારીઓને જ જવાબદાર ગણાવ્યા છે.




Latest News