મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના નિંચી માંડલ પાસેથી મળી આવલે બાળકનું પરિવાર સાથે પોલીસે મિલન કરાવ્યુ


SHARE











મોરબીના નિંચી માંડલ પાસેથી મળી આવલે બાળકનું પરિવાર સાથે પોલીસે મિલન કરાવ્યુ

મોરબીના નીચી માંડલ ગામ નજીકથી એક બાળક મળી આવેલ હતું જે બાળકના વાલીને શોધવા માટેની મોરબી તાલુકા પોલીસની ટીમે કવાયત શરૂ કરી હતી અને હાલમાં તે બાળકનું તેના પરિવારજનો સાથે મિલન મોરબી તાલુકા પોલીસે કરાવ્યુ છે

મોરબી તાલુકા પોલીસે માહિતી આપતા જણાવ્યુ છે કે, ઉમિયાનગરમાં શકિત ચેમ્બર પાછળ રહેતા નશેરભાઇ ભવાનભાઇ બારોટને આશરે ૧૦ વર્ષનો એક બાળક નીચી માંડલ ગામ પાસેથી મળી આવ્યો હતો જેથી નશેરભાઇએ પોલીસ કોન્સટેબલ જગદિશભાઇને તેની જાણ કરી હતી જેથી પોલીસે બાળકનું નામ સરનામું પુછતા બાળકે પોતે પોતાનું નામ પરેશ યોગેશભાઇ હોવાનું કહ્યું હતું અને સરનામું તેને ખબર ન હતું. જેથી પોલીસે તેના વાળીને શોધવા માટે કવાયત શરૂ કરી હતી અને મોરબી તાલુકા પોલીસે ગૂગલ મેપની મદદથી જુદાજુદા ગામના નામ બાળકને કહેતા  ગૌરીદળ ગામનું નામ સાંભળતા બાળકે જણાવ્યું કે મારા નાના-નાની ગૌરીદળ ગામે શંકર ભગવાનના મંદિર પાસે આવેલ બાબુભાઇની વાડીએ રહે છે. જેથી પોલીસે ગૌરીદળ ગામે રહેતા રમેશભાઇ ગજેરાનો સંપર્ક કરી શંકર ભગવાનના મંદિર પાસે બાબુભાઇની વાડી બાબતે તપાસ કરાવી હતી. અને બાબુભાઇની વાડીએ જયંતિભાઇનો સંપર્ક કરતા પરેશ તેનો ભાણેજ થાય અને તેના પિતા યોગેશભાઇ ઉકેરભાઇ નાયકા હોવાનું જાણવા મળ્યું હતું. મૂળ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના સરઘઈ ગામના વતની હાલ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના પાંડાતીર્થ ગામમાં રહેતા યોગેશભાઇ ઉકેરભાઇ નાયકાએ પોલીસને તેમનો દીકરો વાડીએથી ગુમ થયેલાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે વીડીયો કોલથી ખરાઈ કરાવતા પરેશ તેના પિતાને ઓળખી ગયો હતો. માટે પોલીસે બાળકના માતા-પિતાને તેનો દીકરો સોપી દીધો હતો






Latest News