મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના યુવાને છોટાઉદેપુર ખાતે ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું


SHARE







મોરબીના યુવાને છોટાઉદેપુર ખાતે ઝેરી દવા પી લેતા મોત નીપજ્યું

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા ભીમસરમાં રહેતા યુવાને છોટાઉદેપુર જિલ્લાના શીશલીયા ગામે વાડી વિસ્તારમાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને યુવાનનું મોત નિપજતાં તેના મૃતદેહને અહીંની સિવિલે લાવવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતાં પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રો તરફથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે આવેલા વેજીટેબલ રોડ પાસેના ભીમસર વિસ્તારમાં રહેતા રવિ જેન્તીભાઈ કુંઢીયા જાતે દેવીપુજક નામના ૨૨ વર્ષીય પરણીત યુવાને છોટાઉદેપુર જિલ્લાના શીશલીયા ગામે વાડી વિસ્તારમાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નિપજતાં મૃતક રવિ કુંઢીયાના મૃતદેહને અહીં મોરબીની સિવિલ ખાતે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા મોરબી સીટી એ ડિવિજન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ છોટાઉદેપુરમાં બન્યો હોય તે સંદર્ભે છોટાઉદેપુર પોલીસને બનાવની જાણ કરી હોવાનું જાણવા મળે છે.

વધુમાં સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ રવિ જેન્તીભાઈ કુંઢીયાએ પોતાના સસરા સાથે છોટાઉદેપુર જિલ્લામાં શીશલીયા ગામે ભાગમાં વાડી વાવવા માટે રાખી હતી અને તાજેતરમાં પડેલા વરસાદના લીધે ધંધામાં ખોટ જવાથી તે બાબતને લઈને ઝઘડો પણ થયો હતો.મૃતકના સસરા પક્ષ તરફથી મૃતકને ત્રાસ હોવાની ફરિયાદ મૃતકના પરિવારજનો તરફથી નોંધવામાં આવે તેવી હાલ શક્યતાઓ પણ જણાઈ રહી છે.હાલ મોરબી એ-ડિવીઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને આ અંગે આગળની તપાસ માટે બનાવ છોટાઉદેપુર વિસ્તારમાં બન્યો હોય ત્યાંની પોલીસને જાણ કરવા માટે તજવીજ હાથ ધરી છે.

નજીવી વાતે મારામારી

મોરબીના કંડલા બાયપાસ કામધેનુ પાસે રહેતા હનીફભાઇ ઉમરભાઈ ફકીર નામના ૩૨ વર્ષીય યુવાનને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે પોલીસને જાણ થતા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ખૂલ્યું હતું કે પ્યારૂભાઈ જગદીશ અને એક અજાણ્યો ઈસમ એમ બે લોકોએ હનીફભાઈ ફકીરને માર માર્યો હતો.બાદમાં હનીફભાઇએ તે બંને વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, તેઓના દીકરાને સામેવાળા બંને હેરાન કરીને રોવડાવતા હોય "કેમ મારા દીકરાને રોવડાવો છો..?" તેમ કહેવા જતા વાત વાતમાં ઉશ્કેરાઇ જઇને તેમના ઉપર ઢીકાપાટુ વડે હુમલો કરીને મુઠ માર મારવામાં આવ્યો હતો.હાલ હનીફભાઈની ફરિયાદ ઉપરથી પ્યારૂભાઇ જગદીશભાઈ અને એક અજાણ્યા ઇસમ એમ બે સામે ફરિયાદ નોંધીને ુોલીસ દ્રારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.






Latest News