મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ-૯ માં તૂટેલી ગયેલ ભૂગર્ભની લાઇન તાત્કાલિક રીપેર કરવાની માંગ


SHARE











મોરબીના વોર્ડ-૯ માં તૂટેલી ગયેલ ભૂગર્ભની લાઇન તાત્કાલિક રીપેર કરવાની માંગ

મોરબીમાં કેનાલની જગ્યાએ પાઇપ લાઇન નાખવામાં આવી રહી છે ત્યારે વોર્ડ નંબર- ૯ માં આવેલ સોસાયટીની ભૂગભ ગટરની લાઇન તોડી નાખવામાં આવેલ છે જેથી કરીને ગંદકી ફેલાઈ છે અને અસહ્ય દુર્ગંધ આવે છે માટે રોગચાળો માથું ઊંચકે તેમ  છે જેથી કરીને તેને તાત્કાલિક તૂટેલી લાઇન રીપેર કરવામાં આવે તવી માંગ કરવામાં આવી છે  

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી પાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ-૯ માં મચ્છુ-૨ સિંચાઈ યોજનાની માઇનોર કેનાલ આવેલ છે. જે અમરેલી ગામ તરફ જાય છે આ કેનાલ છે ત્યાં પાઈપ લાઈન નાખવામાં આવી રહી છે અને કેનાલ નીચેની પસાર થતી પાલિકાની ભૂર્ગભ ગટરની પાઈપ લાઇન હાલમાં તૂટેલી ગયેલ છે અને તે પાઇપ મારફતે ૩૫ જેટલી સોસાયટીઓના ગટરના પાણીનો નિકાલ થાય છે અને હાલમાં આ લાઇન તૂટવાથી ત્યાં અસહ્ય દુર્ગંધ આવે છે અને ગંદકી ફેલાઈ છે જેથી કરીને તાત્કાલિક તેનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો કામ નહી કરવામાં આવે તો નાછૂટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવામાં આવશે






Latest News