મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ-૯ માં તૂટેલી ગયેલ ભૂગર્ભની લાઇન તાત્કાલિક રીપેર કરવાની માંગ


SHARE













મોરબીના વોર્ડ-૯ માં તૂટેલી ગયેલ ભૂગર્ભની લાઇન તાત્કાલિક રીપેર કરવાની માંગ

મોરબીમાં કેનાલની જગ્યાએ પાઇપ લાઇન નાખવામાં આવી રહી છે ત્યારે વોર્ડ નંબર- ૯ માં આવેલ સોસાયટીની ભૂગભ ગટરની લાઇન તોડી નાખવામાં આવેલ છે જેથી કરીને ગંદકી ફેલાઈ છે અને અસહ્ય દુર્ગંધ આવે છે માટે રોગચાળો માથું ઊંચકે તેમ  છે જેથી કરીને તેને તાત્કાલિક તૂટેલી લાઇન રીપેર કરવામાં આવે તવી માંગ કરવામાં આવી છે  

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી પાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ-૯ માં મચ્છુ-૨ સિંચાઈ યોજનાની માઇનોર કેનાલ આવેલ છે. જે અમરેલી ગામ તરફ જાય છે આ કેનાલ છે ત્યાં પાઈપ લાઈન નાખવામાં આવી રહી છે અને કેનાલ નીચેની પસાર થતી પાલિકાની ભૂર્ગભ ગટરની પાઈપ લાઇન હાલમાં તૂટેલી ગયેલ છે અને તે પાઇપ મારફતે ૩૫ જેટલી સોસાયટીઓના ગટરના પાણીનો નિકાલ થાય છે અને હાલમાં આ લાઇન તૂટવાથી ત્યાં અસહ્ય દુર્ગંધ આવે છે અને ગંદકી ફેલાઈ છે જેથી કરીને તાત્કાલિક તેનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો કામ નહી કરવામાં આવે તો નાછૂટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવામાં આવશે






Latest News