ટંકારા પાસે બંધ ટ્રેકટર પાછળ રીક્ષા અથડાઈ : લગ્નની ખરીદી કરવા નીકળેલી 18 વર્ષીય યુવતીનું મોત વાંકાનેરમાં ભાગવત સપ્તાહ, સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ અને યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાશે મોરબીના વીસીપારમાં કચરના ઢગલામાં લાગી આગ મોરબીમાં વિશ્વ શાંતિ માટે જૈન ઇનટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇજેશન સંસ્થા દ્વારા નવકાર મંત્રના જાપ કરાયા મોરબીમાં શ્રી લાલાબાપાની 85 મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય મહાઆરતી-પ્રસાદ યોજાયો મોતને મ્હાત આપી જીંદગીની જીત: વાંકાનેર 108ની ટીમે વૃદ્ધને તાત્કાલિક સારવાર આપીને આપ્યું નવજીવન મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં કુલ 255 બેઠક માટે ચાર દિવસમાં માત્ર 65 ફોર્મ ભરાયા: બે દિવસમાં બઘડાસટી માળીયા (મી)ના મોટાભેલા ગામે પિતાની હત્યા કરનારા નરાધમ દીકરાની ધરપકડ
Breaking news
Morbi Today

મોતને મ્હાત આપી જીંદગીની જીત: વાંકાનેર 108ની ટીમે વૃદ્ધને તાત્કાલિક સારવાર આપીને આપ્યું નવજીવન


SHARE











મોતને મ્હાત આપી જીંદગીની જીતવાંકાનેર 108ની ટીમે વૃદ્ધને તાત્કાલિક સારવાર આપીને આપ્યું નવજીવન

કહેવાય છે કે 'સેવા એ જ પરમો ધર્મ', પણ જ્યારે આ સેવા ટેકનોલોજી અને ત્વરિત નિર્ણયશક્તિ સાથે મળે ત્યારે તે 'જીવનરક્ષકબની જાય છે. વાંકાનેર IFT 108 ની ટીમે આવી જ રીતે એક વૃદ્ધનો ચમત્કાર કરી જીવા બચાવીને તેઓને નવજીવન આપ્યું છે.

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા પ્રમોદભાઈ કુબાવતની સ્થિતિ અચાનક નાજુક બની હતી. અને તેઓને ગળામાં કેન્સરની ગાંઠ ફાટવાને કારણે અતિશય રક્તસ્ત્રાવ અને ડાયાબિટીસના ઉંચા સ્તરને લીધે તેમનું જીવન જોખમમાં હતું. ત્યારે EMT પ્રવીણભાઈ મેર અને પાયલોટ યુવરાજસિંહ માટે દરેક સેકન્ડ કિંમતી હતી. અને ચાલુ એમ્બ્યુલન્સમાં મેડિકલ એક્સપર્ટનું માર્ગદર્શન મેળવીને ગંભીર હાલતમાં વૃદ્ધને રાજકોટ સિવિલ ખસેડતી વખતે પ્રવીણભાઈએ હિંમત હાર્યા વગર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતી અને તેમણે ડૉ. પરમાર સાથે ડિજિટલ સંપર્ક સાધીપ્રોટોકોલ મુજબ તાત્કાલિક ઓક્સિજન સપોર્ટ અને સારવાર શરૂ કરી દર્દીના પ્રાણ ટકાવી રાખ્યા હતા. બીજી તરફપાયલોટ યુવરાજસિંહે ટ્રાફિક વચ્ચે એમ્બ્યુલન્સને 'લાઈફ સેવિંગ સ્પીડપર દોડાવી રેકોર્ડ સમયમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચાડી હતી. "કોઈના ચહેરા પર સ્મિત અને જીવન પાછું લાવવું એ જ સૌથી મોટું પુણ્ય છે.રાજકોટ સિવિલના ડૉ. હેમાંગ પણ 108 ની ટીમની પ્રી-હોસ્પિટલ કેરના ભારોભાર વખાણ કર્યા છે.






Latest News