મોતને મ્હાત આપી જીંદગીની જીત: વાંકાનેર 108ની ટીમે વૃદ્ધને તાત્કાલિક સારવાર આપીને આપ્યું નવજીવન
SHARE
મોતને મ્હાત આપી જીંદગીની જીત: વાંકાનેર 108ની ટીમે વૃદ્ધને તાત્કાલિક સારવાર આપીને આપ્યું નવજીવન
કહેવાય છે કે 'સેવા એ જ પરમો ધર્મ', પણ જ્યારે આ સેવા ટેકનોલોજી અને ત્વરિત નિર્ણયશક્તિ સાથે મળે ત્યારે તે 'જીવનરક્ષક' બની જાય છે. વાંકાનેર IFT 108 ની ટીમે આવી જ રીતે એક વૃદ્ધનો ચમત્કાર કરી જીવા બચાવીને તેઓને નવજીવન આપ્યું છે.
વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા પ્રમોદભાઈ કુબાવતની સ્થિતિ અચાનક નાજુક બની હતી. અને તેઓને ગળામાં કેન્સરની ગાંઠ ફાટવાને કારણે અતિશય રક્તસ્ત્રાવ અને ડાયાબિટીસના ઉંચા સ્તરને લીધે તેમનું જીવન જોખમમાં હતું. ત્યારે EMT પ્રવીણભાઈ મેર અને પાયલોટ યુવરાજસિંહ માટે દરેક સેકન્ડ કિંમતી હતી. અને ચાલુ એમ્બ્યુલન્સમાં મેડિકલ એક્સપર્ટનું માર્ગદર્શન મેળવીને ગંભીર હાલતમાં વૃદ્ધને રાજકોટ સિવિલ ખસેડતી વખતે પ્રવીણભાઈએ હિંમત હાર્યા વગર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતી અને તેમણે ડૉ. પરમાર સાથે ડિજિટલ સંપર્ક સાધી, પ્રોટોકોલ મુજબ તાત્કાલિક ઓક્સિજન સપોર્ટ અને સારવાર શરૂ કરી દર્દીના પ્રાણ ટકાવી રાખ્યા હતા. બીજી તરફ, પાયલોટ યુવરાજસિંહે ટ્રાફિક વચ્ચે એમ્બ્યુલન્સને 'લાઈફ સેવિંગ સ્પીડ' પર દોડાવી રેકોર્ડ સમયમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચાડી હતી. "કોઈના ચહેરા પર સ્મિત અને જીવન પાછું લાવવું એ જ સૌથી મોટું પુણ્ય છે.રાજકોટ સિવિલના ડૉ. હેમાંગ પણ 108 ની ટીમની પ્રી-હોસ્પિટલ કેરના ભારોભાર વખાણ કર્યા છે.