ટંકારા પાસે બંધ ટ્રેકટર પાછળ રીક્ષા અથડાઈ : લગ્નની ખરીદી કરવા નીકળેલી 18 વર્ષીય યુવતીનું મોત વાંકાનેરમાં ભાગવત સપ્તાહ, સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ અને યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાશે મોરબીના વીસીપારમાં કચરના ઢગલામાં લાગી આગ મોરબીમાં વિશ્વ શાંતિ માટે જૈન ઇનટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇજેશન સંસ્થા દ્વારા નવકાર મંત્રના જાપ કરાયા મોરબીમાં શ્રી લાલાબાપાની 85 મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય મહાઆરતી-પ્રસાદ યોજાયો મોતને મ્હાત આપી જીંદગીની જીત: વાંકાનેર 108ની ટીમે વૃદ્ધને તાત્કાલિક સારવાર આપીને આપ્યું નવજીવન મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં કુલ 255 બેઠક માટે ચાર દિવસમાં માત્ર 65 ફોર્મ ભરાયા: બે દિવસમાં બઘડાસટી માળીયા (મી)ના મોટાભેલા ગામે પિતાની હત્યા કરનારા નરાધમ દીકરાની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ભાગવત સપ્તાહ, સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ અને યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાશે


SHARE











વાંકાનેરમાં ભાગવત સપ્તાહ, સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ અને યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાશે

પાર્થધ્વજ હનુમાનજી યુવક મંડળ દ્વારા આયોજન

વાંકાનેરના જીનપરા ગૌશાળા રોડ પર આવેલ પાર્થધ્વજ હનુમાનજી મંદિરના સાનિધ્યમાં દર વર્ષની માફક આ વર્ષે પણ પાર્થધ્વજ હનુમાનજી યુવક મંડળ દ્વારા આગામી તા.11-4 થી 17 દરમ્યાન શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તથા સમુહ લગ્નોત્સવ અને સમુહ યજ્ઞોપવિતનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
આ ભાગવત સપ્તાહના વ્યાસાસને મીનાબેન કાપડી પોતાની આગવી શૈલીમાં સુર-સંગીત સાથે ભાગવતજીનું રસપાન કરાવશે તો તમામ ધર્મપ્રેમી ભાઇઓ-બહેનો સાધુ-સંતો-સેવકો સમુદાયને કથા શ્રવણનો લાભ લેવા પાર્થધ્વજ હનુમાનજી યુવક મંડળ દ્વારા જણાવાયું છે.

સપ્તાહ દરમ્યાન આવતા વિવિધ પ્રસંગો જેવા કે નૃસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, શ્રી રામ પ્રાગટ્ય, શ્રી કૃષ્ણ નંદોસ્તવ, ગોવર્ધન લીલા, રૂક્ષ્મણી વિવાહ તથા સુદામા ચરિત્ર સહિતના પાવન પ્રસંગો ધામધુમ ઉજવાશે.આગામી 11 એપ્રિલને શનિવારના રોજ સવારે 9-30 કલાકે સુપ્રસિધ્ધ શ્રી ચિત્રકુટ હનુમાનજી મંદિર ખાતેથી ભવ્ય સંગીતના સથવારે પોથીજી યાત્રાનો પ્રારંભ થશે જે વાજતે-ગાજતે કથા સ્થળ ગોકુલધામ (શ્રી પાર્થધ્વજ હનુમાનજી) મંદિર ખાતે પહોંચશે અને સંતો-મહંતો, સેવકગણ તથા શ્રોતાઓની ઉપસ્થિતીમાં ભાગવતના રસપાનનો પ્રારંભ થશે.

આ પ્રસંગે પાર્થધ્વજ હનુમાનજી યુવક મંડળ દ્વારા કથામાં ઉપસ્થિત તમામ ભાવિક ભક્તજનો માટે દરરોજ ગોસ્વામી સમાજની વાડી ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. 17 એપ્રિલના રોજ કથા વિરામ બાદ તા.18ને શનિવારના રોજ સર્વે જ્ઞાતિ સમુહ લગ્નનું આયોજન કથા સ્થળે વૃંદાવનધામ ખાતે યોજાશે જેમાં 12 યુગલો પ્રભુતામાં પગલા પાડશે સાથે સાથે સમુહ યજ્ઞોપવિત બાળકો ધારણ કરશે.

જે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ ગાયત્રી પરિવારના સારસ્વત ભુદેવો દ્વારા કરવામાં આવશે તેમ મોરાણીયા પ્રફુલગીરી ગોસ્વામી, ધનુભા ઝાલા, વિરેન્દ્રપુરી ગોસ્વામી સહિતના અગ્રણીઓએ માહિતી આપતા જણાવેલ છે.

આ તકે ગાયત્રી શક્તિપીઠ મહંત અશ્વિનબાપુ રાવલ, ફળેચાર મંદિરના વિશાલભાઇ પટેલબાપુ, રૂગનાથજી મંદિરના મહંત રેવાદાસબાપુ હરીયાણી, સ્વામી નારાયણ સાંખ્યયાગીબા, જયાબા, વિજ્યાબા, હેતલબા ઉપસ્થિત રહી આર્શિવચન પાઠવશે ત્યારબાદ મહાપ્રસાદ યોજાશે. આ મહાપ્રસાદના દાતા તરીકે વસંતબા પ્રવિણસિંહ ઝાલા પરિવાર રહેશે.






Latest News