ગુજરાત રાજપૂત યુવા સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ પદે મહેન્દ્રસિંહ ઝાલાની વરણી હવે પાઇલોટિંગ સાથે નહીં રાખે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીઝલ બચાવવાની અપીલ બાદ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનો નિર્ણય ટંકારા આઇટીઆઇ ખાતે ૧૬ મે એ ભરતી મેળાનું આયોજન સૂડી વચ્ચે સોપારી: મોરબીના સિરામિક કારખાનામાં વીજ પુરવઠો આવતો નથી ?, જનરેટર માટે પેટ્રોલપંપેથી ડીઝલ બેરલમાં આપતા નથી ! મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ  મહિલાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ મોરબી રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો પાટોત્સવ યોજાયો વાંકાનેરના રંગપર ગામે સમૂહ લગ્નમાં આવેલ યુવાને અગાઉ પ્રેમ લગ્ન કરેલ હોય યુવતીના ચાર ભાઈ સહિત કુલ 5 વ્યક્તિઓએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી ઉતમ સ્વસ્થ્ય માટે લાઈફ સ્ટાઇલમાં થોડો ચેન્જ અનિવાર્ય: મોરબીમાં યોજાયેલ આરોગ્ય કથામાં વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની ટકોર
Breaking news
Morbi Today

હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી


SHARE













હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી

હળવદના જુના વેગડવાવ ગામે રહેતા યુવાને અગાઉ પોલીસ ફરિયાદ કરી હતી જે બાબતનો ખાર રાખીને પિતા-પુત્ર દ્વારા યુવાન પાસે પાઇપ અને સણાથો લઈ આવીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે જેથી ભોગ બનેલ યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે રહેતા મેરૂભાઈ કેશાભાઈ જખવાડિયા (32)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રામજીભાઈ ચતુરભાઈ સુરેલા અને વિષ્ણુભાઈ રામજીભાઈ સુરેલા રહે. બંને જુના વેગડવાવ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, અગાઉ તેઓએ આરોપી સામે ફરિયાદ કરેલ હતી જે બાબતનું મન દુઃખ રાખીને જુના વેગડવાવ ગામે ચરમરીયા મંદિરના ગ્રાઉન્ડમાં ફરિયાદી તથા સાહેદો બેઠા હતા ત્યારે ત્યાં રામજીભાઈ તેના હાથમાં પાઇપ લઈને તથા વિષ્ણુભાઈ તેના હાથમાં સણાથો લઈને આવ્યા હતા અને ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના માળીયા હાઇવે ભરતનગર ગામ નજીક આવેલ કૃષ્ણકુંજ હોટલ પાસે કાર ચાલકે બાઇકને હડફેટે લીધુ હતુ.આ બનાવમાં હેમારામ મુલારામ જાટ (૨૮) રહે.શનિદેવ મંદિર પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબીને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા પોલીસે નોંધ કરી આગળની તપાસ કરી હતી.

કેરાળી ગામે મારામારીમાં ઈજા
મોરબીના કેરાળી ગામે સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ગોવિંદભાઈ ગગુભાઈ બાલાસરા (૬૫) રહે.રાજકોટ અને મેહુલ ગોવિંદભાઈ બાલાસરા (૨૬) રહે.રાજકોટને ઇજા થતા બંનેને અહીં સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે સામેના પક્ષેથી ખીમજીભાઈ ગગુભાઈ બાલાસરા (૬૧) રહે.કેરાળીને પણ મારામારીના બનાવમાં ઈજા થયેલી હોય તેમને પણ અત્રેની સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે તાલુકા પોલીસમાં જાણ થતા સ્ટાફના એચ.એમ.ચાવડા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

આધેડ સારવારમાં
મોરબીના શનાળા ગામ પાસે આવેલ સીએનજીના પંપ પાસે રહેતા ભીમસિંહ મકનસિહ ઝાલા નામના ૬૫ વર્ષના આધેડ સીએનજી પમ્પની સામે રોડ ક્રોસ કરતા હતા ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેમને હડફેટ લેતા ઈજા પામ્યા હોય સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી માધાપર શેરી નંબર-૨૨ માં રહેતા રાજેશભાઈ સવજીભાઈ પીપડીયા નામના ૨૬ વર્ષના યુવાનને પણ મારામારીના બનાવમાં ઇજા થતા અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

યુવાન સારવારમાં
મૂળ ઉત્તરપ્રદેશના કાનપુરનો રહેવાસી સોનુભાઈ રાજપાલ નામનો ૨૮ વર્ષનો યુવાન ટ્રક લઈને મોરબી નજીકના શનાળા પાસેથી જતો હતો.ત્યારે તેનો ટ્રક અન્ય ટ્રક સાથે અથડાયો હોય આ અકસ્માત બનાવમાં ઈજા પામેલા સોનુભાઈને અહીં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે માળિયા મીંયાણાના કાજરડા ગામે રહેતા મહેબુબભાઇ મુસાભાઇ કાજડીયા નામના ૪૦ વર્ષના યુવાનને કાજેરડા ખાતે મારામારીના બનાવમાં ઈજા થઈ હોય તેમને પણ અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી બનાવ અંગે નોંધ કરીને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી.






Latest News