ગુજરાત રાજપૂત યુવા સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ પદે મહેન્દ્રસિંહ ઝાલાની વરણી હવે પાઇલોટિંગ સાથે નહીં રાખે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીઝલ બચાવવાની અપીલ બાદ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનો નિર્ણય ટંકારા આઇટીઆઇ ખાતે ૧૬ મે એ ભરતી મેળાનું આયોજન સૂડી વચ્ચે સોપારી: મોરબીના સિરામિક કારખાનામાં વીજ પુરવઠો આવતો નથી ?, જનરેટર માટે પેટ્રોલપંપેથી ડીઝલ બેરલમાં આપતા નથી ! મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ  મહિલાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ મોરબી રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો પાટોત્સવ યોજાયો વાંકાનેરના રંગપર ગામે સમૂહ લગ્નમાં આવેલ યુવાને અગાઉ પ્રેમ લગ્ન કરેલ હોય યુવતીના ચાર ભાઈ સહિત કુલ 5 વ્યક્તિઓએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી ઉતમ સ્વસ્થ્ય માટે લાઈફ સ્ટાઇલમાં થોડો ચેન્જ અનિવાર્ય: મોરબીમાં યોજાયેલ આરોગ્ય કથામાં વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની ટકોર
Breaking news
Morbi Today

વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત


SHARE













વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત

વાંકાનેરની જુની દાણાપીઠમાં દુકાન ધરાવતા કરિયાણાના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરીને વધુ નફો અપાવવાની રાજકોટના શખ્સે લાલચ આપી હતી જેથી યુવાને જૂન 2025 માં કુલ મળીને છ લાખ રૂપિયાનું કાજુના ધંધામાં રોકાણ કર્યું હતું જોકે તે રૂપિયા યુવાનને પાછા આપવામાં આવ્યા નથી અને યુવાનની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે જેથી ભોગ બનેલા યુવાને હાલમાં રાજકોટના શખ્સ સહિત તપાસમાં જેના નામ ખુલે તેની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના નવા કણકોટ ગામે રહેતા અયુબભાઈ ઇસ્માઈલભાઈ શેરસીયા (32)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે સબીરહુશેન મહમદભાઈ કાસમાણી રહે. ન્યુ ઘાંચીવાડ શેરી નં. 8 રાજકોટ તથા તપાસમાં જેના નામ ખુલે તેની સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેની વાંકાનેરમાં આવેલ જૂની દાણા પીઠમાં સંજરી ટ્રેડર્સ નામની કરિયાણાની દુકાન આવેલ છે અને આરોપીએ ફરિયાદી સાથે પારિવારિક સંબંધ બનાવીને તેને વિશ્વાસમાં લઈને જૂન 2025 માં કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કમાવવાની લાલચ આપી હતી જેથી ફરિયાદીએ સમયાંતરે કુલ મળીને 6 લાખ રૂપિયાનું રોકાણ પોતાની ફાઈવસ્ટાર ડ્રાયફ્રુટ પેઢીના એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના કરંટ એકાઉન્ટમાંથી રુપિયાનું રોકાણ કર્યું હતું અને રોકાણની સામે વધુ નફો આપવાની લાલચ આપી હતી જો કે આજ દિવસ સુધી ફરિયાદીને આરોપીએ તેને રૂપિયા પણ પાછા આપેલ નથી જેથી યુવાનની સાથે વિશ્વાસઘાત કરવામાં આવેલ હોય ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બાળક સારવારમાં
મોરબીના રવાપર ગામે શક્તિ ટાઉનશીપમાં ગોકુલધામ એપાર્ટમેન્ટ ખાતે રહેતા પરિવારનો આયુષ રાજેન્દ્રભાઈ પરિહાર નામનો ત્રણ વર્ષનો બાળક રમતા રમતા ફીનાઈલ પી ગયો હોય તેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના રવાપર રોડ કેનાલ ચોકડી નજીક સાયકલમાંથી પડી જતા ત્યાં રહેતા અનિલ સુનિલભાઈ પરિહાર (૨૨) ને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના શનાળા રોડ ચંદ્રેશનગર પાસે આવેલ વાડી વિસ્તારમાં રહેતા છગનભાઈ ગોવિંદભાઈ પરમાર નામના ૬૫ વર્ષના વૃદ્ધ  કેનાલ રોડ ખાતે બાઈકમાંથી પડી જતા ઇજા પામેલ હોય ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.તેમજ ટંકારા ખાતે આવેલ મલ્ટીપ્લેક્સ કારખાનામાં લેબર કોટરમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની મમતાબેન કુલદીપભાઈ પાલ નામની ૨૨ વર્ષીય મહીલા હેરડાઈ પી જતા તેણીને મોરબીની ખાનગી હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવી હતી.પોલીસે બનાવોની નોંધ કરી રાબેતા મુજબ તપાસ કરી હતી.






Latest News