ગુજરાત રાજપૂત યુવા સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ પદે મહેન્દ્રસિંહ ઝાલાની વરણી હવે પાઇલોટિંગ સાથે નહીં રાખે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીઝલ બચાવવાની અપીલ બાદ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનો નિર્ણય ટંકારા આઇટીઆઇ ખાતે ૧૬ મે એ ભરતી મેળાનું આયોજન સૂડી વચ્ચે સોપારી: મોરબીના સિરામિક કારખાનામાં વીજ પુરવઠો આવતો નથી ?, જનરેટર માટે પેટ્રોલપંપેથી ડીઝલ બેરલમાં આપતા નથી ! મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ  મહિલાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ મોરબી રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો પાટોત્સવ યોજાયો વાંકાનેરના રંગપર ગામે સમૂહ લગ્નમાં આવેલ યુવાને અગાઉ પ્રેમ લગ્ન કરેલ હોય યુવતીના ચાર ભાઈ સહિત કુલ 5 વ્યક્તિઓએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી ઉતમ સ્વસ્થ્ય માટે લાઈફ સ્ટાઇલમાં થોડો ચેન્જ અનિવાર્ય: મોરબીમાં યોજાયેલ આરોગ્ય કથામાં વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની ટકોર
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર


SHARE













મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર

મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ શનિવાર છે જોકે શુક્રવારના દિવસ દરમિયાન મોરબી મહાપાલિકાની ચૂંટણી માટે વધુ 44 જેટલા આગેવાનો દ્વારા પોતાના ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે અને કુલ મળીને 75 જેટલા ઉમેદવારી પત્રો આજ દિવસ સુધી ભરી ગયેલ હોવાનું અધિકારી પાસેથી માહિતી મળી છે અને વધુમાં મળતી વિગત પ્રમાણે કુલ મળીને 511 જેટલા આગેવાનો દ્વારા ચૂંટણી લડવા માટે થઈને ઉમેદવારી લઈ ગયા છે જોકે, આજે બપોરના ત્રણ વાગ્યા સુધી કેટલા આગેવાનો રાષ્ટ્રીય પક્ષના ઉમેદવાર તરીકે અથવા તો અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરે છે તેના ઉપર સહુ કોઇની નજર છે.

મોરબી મહાનગરપાલિકાની પ્રથમ વખત ચૂંટણી યોજવાની છે તેના માટે શુક્રવાર શુક્રવારના દિવસ દરમિયાન ચૂંટણી લડવા માટે કુલ 171 આગેવાનો દ્વારા ઉમેદવારી પત્રો ઉપાડવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં કુલ મળીને 511 જેટલા આગેવાનો ઉમેદવારી પત્રો લઈ ગયા છે અને ગુરૂવાર સુધીમાં કુલ મળીને 31 આગેવાનો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા જોકે, શુક્રવારે વધુ 44 આગેવાનોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા જેથી આમ કુલ મળીને 75 ઉમેવદારો પત્રો ભરાયા છે. જેમાં વોર્ડ નં. 1 થી 4 માં 23, વોર્ડ નં. 5 થી 9 માં 31 અને વોર્ડ નં.  10 થી 13 માં 21 આગેવાનો દ્વારા ફોર્મ ભરવામાં આવેલ છે. ઉલેખનીય છે કે, ગઇકાલે મોડી રાતે ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવેલ છે જેથી કરીને ભાજપમાં ભડકો થયો છે અને એક માજી પ્રમુખ તેની અપક્ષની પેનલ બનાવીને ચૂંટણીના મેદાનમાં આવી રહ્યા છે આ ઉપરાંત ભાજપમાંથી બીજા પણ નારાજ આગેવાનો દ્વારા અપક્ષમાંથી ઉમેદવારી કરવામાં આવે તેવી શક્યતા છે જેથી આજે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં કોણ કોણ પક્ષ કે અપક્ષમાંથી ઉમેદવારી કરી રહ્યા છે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે. 






Latest News