મોરબીના ઉમિયા સર્કલ-દલવાડી  સર્કલ વચ્ચે રોડના કામમાં નડતર રૂપ દબાણો તોડી પાડ્યા હળવદના ચરાડવા ગામે ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં પત્રકારની ધરપકડ ટંકારાના છતર પાસે ગોડાઉનમાં 32,556 બોટલ દારૂ-બીયર જથ્થો મંગાવનાર મુખ્ય સૂત્રધારની ધરપકડ મોરબીમાં વ્યાજે રૂપિયા લેનારા યુવાને વ્યાજ-મુદલ ચૂકવી દીધી તો પણ મહિલા વ્યાજખોર દ્વારા પઠાણી ઉઘરાણી !: ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી મોરબી નજીક બાઇકને હડફેટે લઈને આધેડનું મોત નીપજવનાર ટ્રેલર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીના સામાકાંઠે વિસ્તારમાં વિદેશી દારૂની 3 રેડ: 239 બોટલ દારૂ સાથે ત્રણ આરોપી પકડાયા આયાતી ઉમેદવાર નહીં, સ્થાનિક આગેવાનને જ ભાજપની ટિકિટ આપવાની માંગ: હવે મોરબી મહાપાલિકાના વોર્ડ નં. 8 માંથી વિરોધનો સૂર ઉઠ્યો મોરબી: ઘરેથી કામ શોધવા જાઉં છું કહીને નીકળેલી યુવતી ગુમ
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં પત્રકારની ધરપકડ


SHARE











હળવદના ચરાડવા ગામે ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં પત્રકારની ધરપકડ

હળવદના ચરાડવા ગામે કારખાનેદારને ગાંજાના ખોટા કેશમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી અને તેની પાસેથી પાંચ લાખની ખંડણી માંગવામાં આવી હતી જેથી કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જે ગુનામાં પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગત ફેબ્રુઆરી માહિનામાં વાસુદેવભાઈ સોનાગ્રાએ લાલા શાંતીભાઈ પરમાર તથા મેહુલ ભરવાડ બન્ને સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેઓના કારખાનાં ગાંજાને સળગાવવામાં આવેલ છે તેવું કહીને બંને આરોપીઓએ પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી અને જો રૂપિયા ન આપે તો ગાંજા/ NDPS ના ગંભીર પ્રકારના ખોટા કેશમાં ફસાવી દેવાની તેમજ વિડીયો વાયરલ કરવાની ધમકી આપેલ હતી જેથી કરીને વાસુદેવભાઈની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી અને હળવદના પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડી માટે તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં પોલીસે પત્રકાર મેહુલ મશરૂભાઈ ભરવાડ રહે. સુનીલનગર હળવદ વાળાની ધરપકડ કરી છે અને વધુમાં હળવદના પીઆઇએ જણાવ્યુ હતું કે, હાલમાં પકડાયેલ આરોપીની અગાઉ કેમિકલ ચોરીના ગુનામાં પણ ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસ તપાસમાં એવી માહિતી સામે આવી છે કે, આરોપી મેહુલ ભરવાડ પાસે પત્રકારત્વને લગત કોઇપણ પ્રકારની ડિગ્રી નથી અને કોઈ કોર્સ પણ કરેલ નથી. આ કામગીરી પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ પીએસઆઈ આર.બી.ટાપરીયા અને એસ.એચ.ભટ્ટ તથા સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી.






Latest News