કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ મોરબીની ડો. બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ઓનલાઈન અરજીઓ મંગાવાઈ મોરબી જિલ્લાના સાપકડા ગામે ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર વીજપોલ ઉભા કરવાનું કામ રોકવાતા ખેડૂતો મોરબી જિલ્લાની પાંચ પૈકીની 4 તાલુકો પંચાયતમાં ભાજપ અને 1 માં કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા મોરબીમાંથી ગુમ થયેલા બે યુવાનોની ભાળ મળતા પરિવારમાં હાશકારો
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં પત્રકારની ધરપકડ


SHARE











હળવદના ચરાડવા ગામે ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં પત્રકારની ધરપકડ

હળવદના ચરાડવા ગામે કારખાનેદારને ગાંજાના ખોટા કેશમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી અને તેની પાસેથી પાંચ લાખની ખંડણી માંગવામાં આવી હતી જેથી કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જે ગુનામાં પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગત ફેબ્રુઆરી માહિનામાં વાસુદેવભાઈ સોનાગ્રાએ લાલા શાંતીભાઈ પરમાર તથા મેહુલ ભરવાડ બન્ને સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેઓના કારખાનાં ગાંજાને સળગાવવામાં આવેલ છે તેવું કહીને બંને આરોપીઓએ પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી અને જો રૂપિયા ન આપે તો ગાંજા/ NDPS ના ગંભીર પ્રકારના ખોટા કેશમાં ફસાવી દેવાની તેમજ વિડીયો વાયરલ કરવાની ધમકી આપેલ હતી જેથી કરીને વાસુદેવભાઈની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી અને હળવદના પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડી માટે તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં પોલીસે પત્રકાર મેહુલ મશરૂભાઈ ભરવાડ રહે. સુનીલનગર હળવદ વાળાની ધરપકડ કરી છે અને વધુમાં હળવદના પીઆઇએ જણાવ્યુ હતું કે, હાલમાં પકડાયેલ આરોપીની અગાઉ કેમિકલ ચોરીના ગુનામાં પણ ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસ તપાસમાં એવી માહિતી સામે આવી છે કે, આરોપી મેહુલ ભરવાડ પાસે પત્રકારત્વને લગત કોઇપણ પ્રકારની ડિગ્રી નથી અને કોઈ કોર્સ પણ કરેલ નથી. આ કામગીરી પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ પીએસઆઈ આર.બી.ટાપરીયા અને એસ.એચ.ભટ્ટ તથા સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી.






Latest News