મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં પત્રકારની ધરપકડ


SHARE





હળવદના ચરાડવા ગામે ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં પત્રકારની ધરપકડ

હળવદના ચરાડવા ગામે કારખાનેદારને ગાંજાના ખોટા કેશમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી અને તેની પાસેથી પાંચ લાખની ખંડણી માંગવામાં આવી હતી જેથી કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જે ગુનામાં પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગત ફેબ્રુઆરી માહિનામાં વાસુદેવભાઈ સોનાગ્રાએ લાલા શાંતીભાઈ પરમાર તથા મેહુલ ભરવાડ બન્ને સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેઓના કારખાનાં ગાંજાને સળગાવવામાં આવેલ છે તેવું કહીને બંને આરોપીઓએ પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી અને જો રૂપિયા ન આપે તો ગાંજા/ NDPS ના ગંભીર પ્રકારના ખોટા કેશમાં ફસાવી દેવાની તેમજ વિડીયો વાયરલ કરવાની ધમકી આપેલ હતી જેથી કરીને વાસુદેવભાઈની ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી અને હળવદના પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડી માટે તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં પોલીસે પત્રકાર મેહુલ મશરૂભાઈ ભરવાડ રહે. સુનીલનગર હળવદ વાળાની ધરપકડ કરી છે અને વધુમાં હળવદના પીઆઇએ જણાવ્યુ હતું કે, હાલમાં પકડાયેલ આરોપીની અગાઉ કેમિકલ ચોરીના ગુનામાં પણ ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસ તપાસમાં એવી માહિતી સામે આવી છે કે, આરોપી મેહુલ ભરવાડ પાસે પત્રકારત્વને લગત કોઇપણ પ્રકારની ડિગ્રી નથી અને કોઈ કોર્સ પણ કરેલ નથી. આ કામગીરી પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ પીએસઆઈ આર.બી.ટાપરીયા અને એસ.એચ.ભટ્ટ તથા સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી.




Latest News