મોરબીના શ્રી સ્થાનકવાસી જૈન સંઘમાં તપ તેજસ્વીની શ્રી વિજેતાજી આર્યાજીના અઠ્ઠમના વર્ષીતપ પ્રસંગે ત્રિવેણી મહોત્સવ મોરબી નવયુગ કોલેજનું ગૌરવ વધારતી જાનવી સિતાપરા માળીયા (મી)ના મોટા દહીસરા ગામે જુગારની રેડ પડતાં ભાગાભાગી: 6 શખ્સોની 1.13 લાખના મુદામાલ સાથે ધરપકડ, 3 ની શોધખોળ માળીયા(મી) ગ્રામ્ય-શહેરી વિસ્તારના વિવિધ સહાય યોજનાના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય વસ્તી ગણતરી અનિવાર્ય: મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલે સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી મોરબીના બહાદુરગઢ ગામે હાર્ટ એટેકથી આધેડનું મોત મોરબીમાં પતિ સાથે ઝગડો થતા એસીડ પી ગયેલા મહિલા સારવારમાં મોરબીના સામાકાંઠેથી બીમારી સબબ લાવવામાં આવેલા વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઉદેપુરની નારાયણ સેવા સંસ્થાન દ્વારા દાતાઓનું કરાયું સન્માન


SHARE











મોરબીમાં ઉદેપુરની નારાયણ સેવા સંસ્થાન દ્વારા દાતાઓનું કરાયું સન્માન

રાજસ્થાનના ઉદેપુરમાં છેલ્લા ઘણા વર્ષથી વિકલાંગો માટે કામ કરતી નારાયણ સેવા સંસ્થાનને મોરબીના ઉદ્યોગકારો સહિતનાઓ તરફથી દાન મળતું હોવાથી દરવર્ષે મોરબીના આંગણે દાતાઓના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવે છે આવી જ રીતે આ વર્ષે પણ મોરબીના રામ ચોક પાસે આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું

મોરબીના રામ ચોક પાસે આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે રાજસ્થાનના ઉદેપુરમાં છેલ્લા ઘણા વર્ષથી વિકલાંગો માટે કામ કરતી નારાયણ સેવા સંસ્થા દ્વારા દાતાઓના સન્માન સમરોહનુ આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે મોરબી જિલ્લાના ૪૦૦થી વધુ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, ૨૩ ઓક્ટોબર ૧૯૮૫થી કાર્યરત નારાયણ સેવા સંસ્થાન દ્વારા અત્યાર સુધીમાં આશરે લાખો લોકોના ઓપરેશન કરીને તેની વિકલાંગતાને દુર કરવામાં આવેલ છે અને આ સેવા યજ્ઞમાં દાતાઓ તરફથી ખુબ જ દાન મળે છે જેથી સંસ્થા દ્વારા સમયાંતરે દાતાઓનું સન્માન કરવામાં આવે છે આવી જ રીતે મોરબીના રામ ચોક પાસે આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે દાતાઓના સન્માન માટેના કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું જેને સફળ બનાવા માટે આ સંસ્થાના મોરબી જિલ્લા પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા, રાજકોટ આશ્રમના ઇન્ચાર્જ તરુણભાઈ નાગદા સહિતના આગેવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે






Latest News