મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

મોરબીમાં ઉદેપુરની નારાયણ સેવા સંસ્થાન દ્વારા દાતાઓનું કરાયું સન્માન


SHARE













મોરબીમાં ઉદેપુરની નારાયણ સેવા સંસ્થાન દ્વારા દાતાઓનું કરાયું સન્માન

રાજસ્થાનના ઉદેપુરમાં છેલ્લા ઘણા વર્ષથી વિકલાંગો માટે કામ કરતી નારાયણ સેવા સંસ્થાનને મોરબીના ઉદ્યોગકારો સહિતનાઓ તરફથી દાન મળતું હોવાથી દરવર્ષે મોરબીના આંગણે દાતાઓના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવે છે આવી જ રીતે આ વર્ષે પણ મોરબીના રામ ચોક પાસે આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું

મોરબીના રામ ચોક પાસે આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે રાજસ્થાનના ઉદેપુરમાં છેલ્લા ઘણા વર્ષથી વિકલાંગો માટે કામ કરતી નારાયણ સેવા સંસ્થા દ્વારા દાતાઓના સન્માન સમરોહનુ આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે મોરબી જિલ્લાના ૪૦૦થી વધુ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, ૨૩ ઓક્ટોબર ૧૯૮૫થી કાર્યરત નારાયણ સેવા સંસ્થાન દ્વારા અત્યાર સુધીમાં આશરે લાખો લોકોના ઓપરેશન કરીને તેની વિકલાંગતાને દુર કરવામાં આવેલ છે અને આ સેવા યજ્ઞમાં દાતાઓ તરફથી ખુબ જ દાન મળે છે જેથી સંસ્થા દ્વારા સમયાંતરે દાતાઓનું સન્માન કરવામાં આવે છે આવી જ રીતે મોરબીના રામ ચોક પાસે આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે દાતાઓના સન્માન માટેના કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું જેને સફળ બનાવા માટે આ સંસ્થાના મોરબી જિલ્લા પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા, રાજકોટ આશ્રમના ઇન્ચાર્જ તરુણભાઈ નાગદા સહિતના આગેવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે






Latest News