મોરબીના લીલાપર ગામે દવા પી ગયેલ મહિલાનું મોત મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસ વિભાગ દ્વારા વિદ્યાર્થીનીઓની સેફટી માટે જાગૃતિ સેમિનાર યોજાયો


SHARE







મોરબીમાં પોલીસ વિભાગ દ્વારા વિદ્યાર્થીનીઓની સેફટી માટે જાગૃતિ સેમિનાર યોજાયો

મોરબી શહેરના શનાળા રોડ પર આવેલ ન્યુ ઓમશાંતિ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીનીઓની સેફટી માટે જાગૃતિ સેમિનાર યોજાયો હતો.શાળાના વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાના દુરઉપયોગ સામે જાગૃત કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો.શાળા તેમજ કોલેજમાં જતી યુવતીઓના યેનકેન પ્રકારે ફોન નંબર મેળવીને બાદમાં તેની પજવણી કરવામાં આવતી હોય છે માટે આ પ્રકારની જો કોઈ પ્રવૃત્તિઓ થતી હોય તો તે પ્રવૃત્તિઓ અંગે સજાગ રહેવા માટે અને યેનકેન પ્રકારે યુવતીઓના નંબર મેળવીને યુવતીઓની પજવણી કરતા ઇસમોની શાન ઠેકાણે લાવવા માટે આ જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો.સેમિનાર દરમ્યાન મોબાઇલમાં જયાં ત્યાં બેલેન્સ રિચાર્જ ન કરાવવા માટે તેમજ તેને લગતી અન્ય બાબતો ધ્યાનમાં રાખવા જેવી વાત કરીને તમારો ફોન નંબર અન્ય કોઈપણ પાસે ન જાય તે પ્રકારની તકેદારી કઈ રીતે રાખવી તે અંગે વિદ્યાર્થીનીઓને સમજાવવામાં આવ્યું હતું અને જો તેમ છતાં પણ કોઈ આ પ્રકારની પજવણીની ગેર કાયદેસર પ્રવૃત્તિ જોવા મળે અને હેરાનગતિ હોય તો તાત્કાલિક તે અંગે પરિવારજનોને અથવા તો શાળામાં શિક્ષકોને અથવા તો પોલીસનો રૂબરૂ સંપર્ક કરવામાં આવે તેવી પણ તેઓને માહિતી આપવામાં આવી હતી.આ તકે એસપી એસ.આર.ઓડેદરા, ડીવાયએસપી સહિતના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.અવરેનેશ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓને લગતી કોઈપણ મુશ્કેલીની તાત્કાલિક પરિવારજન કે પોલીસને જાણ કરવા જણાવાયુ હતુ.






Latest News