મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી
Breaking news
Morbi Today

મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ


SHARE







મોરબીના નવલખી ફાટક પાસે વરસાદી પાણી ભરાવાના પ્રશ્ને મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ

મોરબીમાં પ્રાથમિક સુવિધાને લગતી કોઈપણ સમસ્યા હોય તો ચક્કાજામ કરવો ફરજિયાત થઈ ગયો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે આજે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતા મહિલાઓ સહિતના લોકો દ્વારા નવલખી ફાટક પાસે ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને તેઓના વિસ્તારની અંદર ખાનગી પ્લોટમાં વરસાદી પાણી ભરાયેલા રહે છે અને કચરો તથા ગંદકી હોય છે જેથી મચ્છરમાં ઉપદ્રવ થાય છે આ બાબતે અવારનવાર મહાપાલિકામાં રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી જેથી કરીને ના છૂટકે મહિલા સહિતના લોકો દ્વારા આજે ચક્કાજામ કરવામાં આવ્યો હતો 

મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ આજની તારીખે પણ મોરબીમાં લોકો પ્રાથમિક સુવિધાઓને જ ઝાંખી રહ્યા છે અને ખાસ કરીને ચોમાસામાં મોરબીના જુદા જુદા વિસ્તારોની અંદર જે સમસ્યાઓ વર્ષો જૂની છે તેને ઉકેલવા માટે આજ દિવસ સુધી કોઈ તસ્દી લેવામાં આવી નથી જેથી હવે લોકોનો રોષ ફાટી નીકળ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે અગાઉ મોરબીના જુદા જુદા વિસ્તારોની અંદર પ્રાથમિક સુવિધાને લગતા પ્રશ્નો માટે મહિલાઓ સહિતના લોકો દ્વારા જે રીતે ચક્કાજામ કરવામાં આવ્યા હતા તેવી જ રીતે નવલખી રોડ ઉપર આવેલા લાયન્સનગર વિસ્તારમાં ખાનગી પ્લોટમાં વરસાદી પાણી ભરેલા રહે છે જેના કારણે મચ્છરનો ઉપદ્રવદ થાય છે તે ઉપરાંત ગંદકી પણ હોય છે આ બાબતે મહાપાલિકામાં રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી જેથી મહિલાઓ, બાળકો સહિતના લોકો દ્વારા નવલખી ફાટક પાસે રસ્તો ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને ખાનગી પ્લોટની અંદર જે વરસાદી પાણી ભરાયેલા રહે છે તેનો વહેલી તકે નિકાલ કરવામાં આવે અને તેઓના વિસ્તારમાં સારી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News