મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના ૧૩,૬૦૦ જેટલા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરાવતા સાંસદ મોહનભાઈ કુંડારિયા


SHARE













મોરબી જીલ્લાના ૧૩,૬૦૦ જેટલા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરાવતા સાંસદ મોહનભાઈ કુંડારિયા

મોરબી જીલ્લામાં ચણાને ટેકાના ભાવે વેચાણ કરવા માટે ૧૩,૬૦૦ જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે અને આજથી મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ટેકાના ભાવેથી ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે ત્યારે સાંસદ મોહનભાઇ કુંડારિયા સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને ખેડૂતોના ચણાની ટેકાના ભાવે મોરબી માર્કેટ યાર્ડ સહિત જીલ્લામાં કુલ મળીને ત્રણ સેન્ટરો ઉપર ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેથી ખેડૂતોમાં ખુશીની લાગણી છે

વર્તમાન સમયમાં યાર્ડના ખુલ્લા માર્કેટમાં ચણા ખેડૂતો વેચી રહ્યા છે તેના કરતાં વધુ ટેકાના ભાવ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે જેથી કરીને ખેડૂતો મોરબી જીલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવે તેની લાંબા સમયથી ખેડૂતો દ્વારા રાહ જોવામાં આવી રહી હતી ત્યારે આજે મોરબી જીલ્લામાં મોરબી માર્કેટ યાર્ડ, હળવદ માર્કેટ યાર્ડ અને ટંકારા ખાતે જીનમાં ખેડૂતો પાસેથી ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે

મોરબી જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના મોરબી, માળીયા, ટંકારા, વાંકાનેર અને હળવદ તાલુકામાંથી ટેકાના ભાવે ચણા વેચવા માટે કુલ મળીને ૧૩,૬૦૦ ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું અને આ ખેડૂતો પાસેથી વહેલામાં વહેલી તકે ટેકાના ભાવે ચણાની ખરીદી કરી લેવામાં આવે તે જરૂરી હતું ત્યારે રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોમાંથી દરરોજના ૧૦૦ જેટલા ખેડૂતોને દરેક સેન્ટર ઉપર બોલાવીને તેના ચણાની ખરીદી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને અને કોઇપણ ખેડૂતના ચણા રીજેક્ટ ન કરવામાં આવે તે રીતે ખરીદીની પ્રક્રિયા કરવામાં આવે તેની પણ અધિકારીઓને કાળજી રાખવા માટે મોહનભાઇ કુંડારિયા સહિતના આગેવાનો સૂચના આપી છે 

રાજકોટ સાંસદ મોહાનભાઈ કુંડારિયાએ જણાવ્યુ હતું કે, આજની તારીખે ખુલ્લા માર્કેટમાં ખેડૂતો તેનો ચણાનો માલ વેચવા માટે જાય તો વધુમાં વધુ ૮૦૦ થી ૯૦૦ રૂપિયા ભાવ આવે છે જો કે, સરકાર દ્વારા ગુજકો માર્સલના નેજા હેઠળ ખેડૂતો પાસેથી ૧૧૪૩ રૂપિયાના ભાવથી ટેકના ભાવે ચણાની ખરીદી શરૂ કરેલ છે જેથી કરીને ખેડૂતોને તેના માલનો પૂરો ભાવ મળશે સાથોસાથ ખુલ્લા બજારમાં પણ ચણાના ભાવમાં વધારો થશે જેથી કરીને ખેડૂતોને પોતાના માલનો સારો ભાવ મળશે આ તકે યાર્ડના ચેરમેન ભાવાનભાઇ ભાગીયા, વાઇસ ચેરમેન મગનભાઇ વડાવિયા, મોરબી જીલા પંચાયતના માજી પ્રમુખ અને યાર્ડના ડિરેક્ટર કેશુભાઈ રૈયાણી, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News