મોરબી મહાપાલિકાનમાં જુના જોગીઓના નામ ઉપર કાતર: પ્રથમ મેયર ઉત્તમભાઈ સુરાણી અને ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા અઢી વર્ષ હેમખેમ જાય તેની સામે પ્રશ્રાર્થ હળવદના કડિયાણા ગામે વાડીને પાણી પાવા માટે સહિયારી પાણીની લાઇન નાખનારા યુવાન સહિત બે લોકોને નજીવી વાતમાં ધોકા-છોરીયા વડે માર માર્યો કચ્છમાં માતાના મઢે દર્શન કરીને દીવ જતાં પરિવારને નડ્યો અકસ્માત: માળીયા (મી)ના હરિપર નજીક ટાયર ફાટતાં ઇકો ગાડી ડિવાઇડર કૂદીને ટ્રક સાથે અથડાતાં બે બાળક સહિત કુલ ચાર વ્યક્તિઓના મોત, બેને ઈજા રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ માળીયા (મી)માં ફાયરિંગ કરીને હત્યા કરવાના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા ઇનામી આરોપીને એલસીબીની ટીમે દબોચી લીધો મોરબીના વીસીપરા વિસ્તારમાં નિયમિત-પૂરતા પ્રમાણમાં પાણી આપવાની કોંગ્રેસની માંગ મોરબીની ડો. બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ: ઓનલાઈન અરજીઓ મંગાવાઈ મોરબી જિલ્લાના સાપકડા ગામે ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર વીજપોલ ઉભા કરવાનું કામ રોકવાતા ખેડૂતો
Breaking news
Morbi Today

વાંકાનેરના પુલ દરવાજા ચોક અગાઉના ઝઘડાનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ માર માર્યો


SHARE











વાંકાનેરના પુલ દરવાજા ચોક અગાઉના ઝઘડાનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ માર માર્યો

વાંકાનેરના પુલ દરવાજા ચોક પાસેથી પસાર થતાં યુવાનને અગાઉ કુટુંબીક ભાઈ સાથે થયેલા ઝઘડાનો ખાર રાખીને બે શખ્સો દ્વારા લોખંડના પાઇપ અને લોખંડના કેરિયર વડે માર મારવામાં આવ્યો હતો જેથી યુવાનને માથામાં ઈજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરની સિપાઈ શેરીમાં રહેતા હસનભાઇ ઈશાભાઇ જીંદાણી જાતે મતવા (ઉ.૩૨) વાંકાનેરના પુલ દરવાજા ચોક પાસે હતા ત્યારે તેની સાથે ઘનશ્યામભાઈ ઉર્ફે ઘનો મોહનભાઈ ભરવાડ તેમજ અનિલભાઈ બુટાભાઈ લામકા રહે. ભરવાડપરા વાંકાનેર વાળાએ માથાકૂટ કરી હતી અને ત્યારે ઘનશ્યામભાઈએ તેને લોખંડના પાઇપ વડે અને અનિલભાઈ લોખંડના કેરિયર વડે માથામાં અને હાથે-પગે ઇજાઓ કરી હતી જેથી કરીને હસનભાઈને ઇજાઓ થઇ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેણે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બંને શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલમાં હસનભાઈ જીંદાણીએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે ચારેક વર્ષ પહેલા આરોપીઓના કૌટુંબિક ભાઈ રણછોડભાઇ ભરવાડ સાથે ઝઘડો થયો હતો તે બાબતનો રોષ રાખીને હાલમાં આ બંને શખ્સોએ તેને માર મારેલ છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News