મોરબીના કારખાનામાં ઊંચાઈ ઉપરથી પડતાં યુવાનના મોતના કેસમાં વધુ એકની ધરપકડ હળવદ નજીક ખોટી નંબર પ્લેટ લગાવેલ કારથી જીવલેણ અકસ્માત સર્જનાર આરોપીની બે અર્ટિકા કાર સાથે ધરપકડ મામાના ઘરે મૂકવા જવનું કહીને નરાધમ બાપ માસૂમ દીકરાને તરફડીને મરવા માટે છોડી ગયો: હળવદના સુસવાવ ગામની ઘટના ચોંકાવનારો ખુલાસો મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ઘનશ્યામગઢ ગામનો બનાવ : પરિવારનું ધ્યાન રાખજો કરીને યુવાને વાડીએ દવા પી લેતા સારવારમાં


SHARE













મોરબીના ઘનશ્યામગઢ ગામનો બનાવ : પરિવારનું ધ્યાન રાખજો કરીને યુવાને વાડીએ દવા પી લેતા સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે વાડી વિસ્તારમાં યુવાને ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે મોરબી ખસેડાયો છે અને સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ યુવાને પોતાના મોરબી રહેતા કૌટુંબીક ભાઈને 'મારા પરિવારનું ધ્યાન રાખજો' એમ કહીને ફોન કર્યા બાદ ઉપરોક્ત પગલું ભર્યુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે રહેતા મહેશભાઈ અંબારામભાઈ સંઘાણી નામના ૪૬ વર્ષીય યુવાને વાડીએ જઈને ઝેરી દવા પી લીધી હતી.જેથી કરીને તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતાં હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળા તેમજ રાઇટર મિલનભાઈએ પ્રાથમિક તપાસ કરતા ખુલ્યુ હતું કે મહેશભાઈ સંઘાણીએ તેમના મોરબી રહેતા કોઈ કૌટુંબિક ભાઇને ફોન કરીને જણાવ્યું હતું કે "મારા ઘરનું ધ્યાન રાખજો" એમ કહીને પોતાની વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેઓને હાલ બેભાન હાલતમાં અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવેલા છે અને હાલ તેઓ બેભાન બોય બનાવનું કારણ સામે આવેલ નથી.બનાવ સંદર્ભે મોરબી પોલીસ દ્રારા હળવદ પોલીસને જાણ કરવા આગળની તજવીજ શરૂ કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

જામકંડોરણા પાસેના ખજૂરડા ગામના ગીતાબેન વિજયભાઈ હાંસલિયા (ઉમર ૪૪) અને ભવ્ય વિજયભાઈ હાંસલિયા (ઉમર ૧૧) ને ભાયાવદરથી ઉપલેટા જતા સમયે બાઇકનો બોલેરો કાર સાથે વાહન અકસ્માતનો બનાવ બનતા તેમાં ઇજાઓ થવાથી સારવાર માટે માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જેને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.જયારે હળવદના આંબેડકરનગર વિસ્તારમાં રહેતો દેવ હસમુખભાઈ પરમાર નામનો ૧૧ વર્ષીય બાળક બાઈકના પાછળના ભાગે બેસીને જતો હતો ત્યારે બાઇક સ્લીપ થઇ જતા ઇજાગ્રસ્ત દેવ પરમારને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.






Latest News