મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

લો બોલો, સરકારે ટોલ ફ્રી કરેલા ટોલનાકા ઉપરથી પસાર થયેલ મોરબીની કારનો ટોલ ટેક્સ કપાયો !


SHARE







લો બોલો, સરકારે ટોલ ફ્રી કરેલા ટોલનાકા ઉપરથી પસાર થયેલ મોરબીની કારનો ટોલ ટેક્સ કપાયો !

ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર આવેલા ટોલનાકા પરથી ગાડી પસાર થઈ ન હોય તેમ છતાં પણ ઘણા બધા લોકોના એકાઉન્ટમાંથી ટોલ ટેક્સના રૂપિયા કપાઈ જતા હોય છે આવી માહિતી સામે આવતી હોય છે તેવામાં આજે મોરબીની અંદર રહેતા વ્યક્તિની ગાડી મોરબી અમદાવાદ હાઈવે ઉપર આવેલ માલવણ ટોલનાકા પાસેથી પસાર થઈ હતી જોકે માલવણ ટોલનાકા ઉપર કારનો ટોલ ટેક્સ લેવામાં આવતો નથી તેમ છતાં પણ તેઓના એકાઉન્ટમાંથી ૧૩૦ રૂપિયા કારની આવક-જાવકના કપાઈ ગયા  છે !

અગાઉ ઘણી વખત મોરબીના લોકોની ગાડી ગેરેજમાં પડેલી હોય અથવા તો પોતાના ઘરે પડી હોય અને તેઓની ગાડીના ટોલ ટેક્સના રૂપિયા જુદા જુદા ટોલનાકા ઉપરથી કપાયા હોય તેવી માહિતી સામે આવી જ છે ત્યારે ગુજરાત સરકારમાં જ્યારે રાજ્યના મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ હતા ત્યારે રાજ્ય સરકાર હસ્તકના રોડ ઉપર આવતા તમામ ટોલનાકા ઉપરથી ટોલટેક્ષ નાબુદ કરવામાં આવ્યો હતો જેથી મોરબી અમદાવાદ હાઇવે ઉપર આવતા માલવણ ગામ પાસેના માલવણ ટોલનાકાનો ટોલ ટેક્સ પણ નાબૂદ થઇ ગયો છે અને ત્યાંથી નાનાવાહનો વિનામૂલ્યે પસાર થઈ શકતા હોય છે જોકે મોરબીની અંદર મહેશભાઇ પંડ્યાના જમાઈએ તેની કાર નંબર જીજે ૩ એચએ ૫૯૩૩ લઈને માલવણ ટોલનાકા પાસેથી પસાર થયા હતા જેથી કારની આવક-જાવકના ૧૩૦ રૂપિયાનો ટોલટેક્સ તેઓના એકાઉન્ટમાંથી કપાયેલ છે જેથી કરીને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા છે કારણકે માલવણ ટોલનાકા પાસે ટોલટેક્સ લેવામાં આવતો નથી તેમ છતાં પણ તેઓનો એકાઉનમાંથી ટોલટેક્સ કેમ કપાયો છે અને તે રકમ કોના ખિસ્સામાં ગયેલ છે તે સૌથી મોટો સવાલ છે






Latest News