માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો નવયુગ સંકુલ ખાતે અભ્યાસ વર્ગ યોજાશે


SHARE

















મોરબી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો નવયુગ સંકુલ ખાતે અભ્યાસ વર્ગ યોજાશે

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એટલે રાષ્ટ્ર કે હિતમે શિક્ષા..શિક્ષા કે હિતમે શિક્ષક.. શિક્ષક કે હિતમે સમાજના ધ્યેય સૂત્ર સાથે શિસ્તબધ રીતે કાર્ય કરતું સંગઠન છે, સંગઠનમાં કાર્યરત કાર્યકરો, મંડળ સંયોજકોએ કેવી રીતે કાર્ય કરવું? એ માટે નવયુગ શૈક્ષણિક સંકુલ વિરપર મોરબી ખાતે તા.14/3 ના રોજ એક દિવસના અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે

જેમાં અભ્યાસ વર્ગનું મહત્વ અને કાર્યકરોની મનો ભૂમિકા, સંગઠનની કાર્ય પદ્ધતિ અને પ્રચાર-પ્રસાર, સંઘ વિચાર, પરિવાર અને આર્થિક સૂચિતા, નવી શિક્ષણનીતિ, શિક્ષણના પડકારો, હોદેદારોની જવાબદારી, સંગઠનના કાર્યકર્તાઓની અધિકારીઓ સાથેનો સરકાર સાથેનો વ્યવહાર વગેરે વિષયો પર ડો.જયંતીભાઈ ભાડેસિયા, શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી, રાજ્ય મહાસંઘના મંત્રી રતુભાઈ ગોળ, મુળજીભાઈ ગઢવી, મહેશભાઈ મોરી અને હિતેશભાઈ ગોપાણી, સુનિલભાઈ પરમાર શિશુમંદિર, વિપુલભાઈ અધારા, મહેશભાઈ બોપલીયા, મોરબી જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા વગેરે ઉપરોક્ત વિષયો પર કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડશે.એમ કિરણભાઈ કાચરોલા, પ્રદીપભાઈ કુવાડિયા, હરદેવભાઈ કાનગડ, કિરીટભાઈ દેકાવડીયા, હિતેશભાઈ પાંચોટીયાએ જણાવ્યુ છે




Latest News