મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

માળીયા(મી)ના અણીયારી ટોલનાકે સર્જાયેલા અકસ્માતમાં વૃદ્ધનું મોત થતાં કાર ચાલક સામે નોંધાયો ગુનો


SHARE







માળીયા(મી)ના અણીયારી ટોલનાકે સર્જાયેલા અકસ્માતમાં વૃદ્ધનું મોત થતાં કાર ચાલક સામે નોંધાયો ગુનો

મોરબીના જેતપર ગામના વતની એવા પટેલ વૃદ્ધ પોતાના ખેતરેથી પરત ઘર તરફ જતા હતા ત્યારે અણીયાળી ટોલનાકા પાસે તેમના બાઇકને કાર ચાલકે હડફેટે લૂધુ હતું જેથી કરીને ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા ત્યાં તેનું મોત નીપજ્યું હતું અને હાલમાં આ બનાવમાં મૃતકના દીકરાએ કાર ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે

મોરબીના જેતપર ગામના રહેવાસી પ્રેમજીભાઈ થોભણભાઇ જાકાસણીયા જાતે પટેલ (૬૫) પોતાનું બાઈક લઈને પોતાના ખેતર બાજુ ગયા હતા અને ત્યાંથી પરત ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં અણીયારીના ટોલનાકા પાસે કાર નંબર જીજે ૫ જેપી ૪૭૭૭ ના ચલકે તેમના બાઇક નંબર જીજે ૩ ઇકે ૯૧૬૮ લઈને જતાં હતા ત્યારે માથા સહિત શરીરના ભાગે ગંભીર ઈજા થઈ હતી માટે પ્રેમજીભાઈને પ્રથમ મોરબી અને ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન પ્રેમજીભાઈ થોભણભાઈ જાકાસણીયાનું મોત નિપજ્યું હતું હાલ આ બનાવમાં મૃતકના દીકરા નરેન્દ્રભાઈ પ્રેમજીભાઈ જાકાસણીયા જાતે પટેલ (ઉ.૪૦)એ કાર ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

ધમકીના કેસમાં ધરપકડ

મોરબીના બી ડિવિઝન પોલીસ મથકની હદમાં થોડા સમય પહેલા ફોન ઉપર ધમકી આપવાનો બનાવ બન્યો હતો જેમાં નોંધાયેલી ફરિયાદમાં પોલીસે મધ્યપ્રદેશથી એક ઈસમની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.બી ડિવિજન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના રહેવાસી અજયભાઈ તિવારીએ સુનિલ કિશોર શર્મા જાતે બ્રાહ્મણ રહે.મધ્યપ્રદેશ સામે ધમકી આપવી બાબતે ફરિયાદ નોંધાવી હતી.ટ્રકના હપ્તા મુદ્દે ફોન ઉપર ધમકી આપવામાં આવી હોય તે અંગે કલમ ૫૦૪, ૫૦૭ મુજબ પોલીસ દ્રારા ફરિયાદ નોંધવામાં આવી હતી જે ગુનામાં છેલ્લા ઘણા સમયથી ફરાર સુનિલ કિશોર શર્મા જાતે બ્રાહ્મણ (ઉમર ૪૨) રહે.મધ્યપ્રદેશવાળો નાસતો ફરતો હતો જેને હાલમાં બી ડિવિઝન પોલીસે ઝડપી પાડેલ છે.






Latest News