ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં કડિયા કામની મજૂરી બાબતે બોલાચાલી બાદ મારામારી


SHARE













મોરબીમાં કડિયા કામની મજૂરી બાબતે બોલાચાલી બાદ મારામારી

મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં યુવાનને તેના કૌટુંબિક ભાઇ સાથે કડીયાકામની મજૂરીના પૈસા બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ મારામારીના બનાવમાં ઇજાઓ થતાં યુવાનને સારવાર માટે ખસેડાયો હતો અને બાદમાં યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરામાં રહેતા જયેશ રવજીભાઈ ચૌહાણ નામના ૨૮ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ જયેશ ચૌહાણે તેના કૌટુંબિક ભાઇ અને રોહીદાસપરામાં મહાકાળી માતાના મઢ પાસે રહેતા દિલીપ ખીમજીભાઈ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, બંને કૌટુંબિક ભાઈઓ થતા હોય અને સાથે કડીયાકામની મજૂરીનું કામકાજ કરતા હતા દરમિયાન કડીયાકામની મજુરીના પૈસા બાબતે દિલીપે બોલાચાલી કરી હતી અને તે દરમિયાન દિલીપ ચૌહાણ દ્વારા તેને ઢીકાપાટુ વડે માર મારવામાં આવ્યો હતો હાલ બી ડિવિઝન પોલીસે જયેશભાઇની ફરીયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.

મહિલા સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર ઘર નજીક ઝેરી જનાવર કરડી જતા મધુબેન ગણપતભાઇ ડીંડોર નામની ૩૫ વર્ષીય મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના માળિયા મિંયાણા તાલુકાના નાની બરાર ગામે રહેતા પુનિત પ્રવીણભાઈ પરમાર નામના ૧૮ વર્ષીય યુવાને તેના ઘેર કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના નગર દરવાજા ચોક પાસે ગઇકાલે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજાઓ થવાથી અહીંના ગ્રીનચોક વિસ્તારમાં રહેતા સંગીતાબેન રવિભાઈ વાઢેરા (ઉમર ૩૦) અને તેમના પુત્ર પ્રણય રવિભઆઇ વઢેરા (ઉમર ૪) ને ઈજાઓ થતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈ જવાયા હતા. જ્યારે મોરબીના વાવડી રોડ ઉપર રહેતા રાજેશભાઈ કાંતિભાઈ વિઠ્ઠલાપરા નામનો ૩૫ વર્ષીય યુવાન પોતાની દુકાનેથી ઘરે જતો હતો ત્યારે શહેરના ગાંધીચોક પાસે કોઇ એક્ટીવાના ચાલકે તેને હડફેટે લેતા ઇજા થવાથી રાજેશ વિઠ્ઠલાપરાને સારવારમાં ખસેડાયો હતો.






Latest News