ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીની ન્યુએરા ગ્લોબલ સ્કૂલ, નવયુગ કીડસ અને બ્લોસમ પ્રિસ્કુલ દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન


SHARE













મોરબીની ન્યુએરા ગ્લોબલ સ્કૂલ, નવયુગ કીડસ અને બ્લોસમ પ્રિસ્કુલ દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન

મોરબીની જુદી-જુદી ત્રણ શૈક્ષણીક સંસ્થાઓમાં જુદાજુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. અહીંની ન્યુએરા ગ્લોબલ સ્કુલ  ખાતે ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા તેમજ કોલેજમાં અભ્યાસ કરતા હોય અને વિદેશમાં અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે આવતીકાલ તા.૧૩ ને રવિવારના સવારના ૯:૩૦ થી ૧૧ વાગ્યા દરમ્યાન સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં મુંબઇ અને સીડનીની વિવિધ સંસ્થાઓના એક્સપર્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.રવાપર ઘુનડા રોડ ઉપર આવેલી ન્યૂએરા ગ્લોબલ સ્કુલ ખાતે ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

એ રીતે જ મોરબીના જાણીતા નવયુગ શૈક્ષણિક સંકુલના નવયુગ કીડસ તેમજ નવયુગ પ્રિ-સ્કૂલનો પ્રથમ વાર્ષિક ઉત્સવ આજે યોજાવાનો છે.આજે તા.૧૨-૩ ના સાંજના ચાર વાગ્યે લીલાપર રોડ ઉપર આવેલ ક્લાસિક બેંકવેટમાં બ્લોમીંગ બડ્સ નામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

તેમજ અહિંના બ્લોસમ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ દ્વારા પણ વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં આવતીકાલ તા.૧૩-૩ ને રવિવારના સાંજે આઠેક વાગ્યે પ્રભુરત્ન પાર્ટી પ્લોટ સરદાર પટેલ રોડ લેકસસ બંગલો સામે કાર્યક્રમનું આયોજન કરાયેલ છે જેમાં રાજ્યમંત્રી બ્રીજેશભાઇ મેરજા, મોહનભાઈ કુંડારીયા, જયંતીભાઈ કવાડિયા સહિતના આગેવાનો હાજર રહેવાના છે.તેમ સંસ્થામા સંચાલક રાજેશ ભીમાણીએ જણાવેલ છે.






Latest News