મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામની પ્રાથમિક શાળા વાલી સંમેલન-વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા


SHARE















ટંકારાના સજનપર ગામની પ્રાથમિક શાળા વાલી સંમેલન-વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા

ટંકારાના સજનપર ગામે પ્રાથમિક શાળામાં ધો. ૧થી ૮ માં અભ્યાસ કરતા તમામ બાળકોની શૈક્ષણિક સિધ્ધિ માટે શાળામાં વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વાલીઓ તેમજ એસએમસીના સભ્યોએ હાજરી આપી હતી ધો.૧ થી ૮ તમામ શિક્ષકોએ પોતાના વિષય મુજબ વિદ્યાર્થીઓને કેવી રીતે  ઘરે પરીક્ષાની તૈયારી કરાવવી તેમજ બાળકોના સ્વાસ્થ્ય અંગે શુ કાળજી રાખવીએ બાબતોની વિસ્તૃત સમજૂતી આપી હતી તેમજ શાળાના આચાર્ય  અલ્પેશભાઈ પુજારાએ શાળાને લાગતી તમામ બાબતો અંગેની માહિતી આપી હતી આ તકે ખાસ ઉપસ્થિત સજનપરનું ગૌરવ સમાન ગામના દીકરી શીતલબેન રૈયાણી કે, જે હાલ જીએસટી ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે તેમણે તમામ વાલીઓને પોતાના બાળકોને ગામની સરકારી શાળામાં જ ભણાવવા અંગે ટકોર કરી હતી તેમજ લજાઈ સીઆરસી કોર્ડિનેટર શૈલેષભાઇ સાણજાપોતાના અનુભવો વાલીઓ સાથે શેર કર્યા હતા અને શાળાના શિક્ષકોને પૂરતો સહકાર આપવા અપીલ કરી હતી તેમજ વાલી સંમેલનના આયોજન બદલ શાળાના આચાર્યને અભિનંદન પાઠવ્યા હતા આ તકે ગામના સરપંચ રીનાબેન જાદવે પણ શાળા પરીવારને અભિનંદન પાઠવ્યા હતા અને ત્યાર બાદ જુદીજુદી રમતોમા વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા






Latest News