મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો મોરબીના આંદરણા-નીચી માંડલ વચ્ચે ડબલ સવારી બાઇક આડે ડમ્પર નાખતા સર્જાયેલ અકસ્માતમાં બે સગા ભાઈને ઇજા થતાં સારવારમાં હળવદના ડુંગરપુર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામની પ્રાથમિક શાળા વાલી સંમેલન-વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા


SHARE













ટંકારાના સજનપર ગામની પ્રાથમિક શાળા વાલી સંમેલન-વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા

ટંકારાના સજનપર ગામે પ્રાથમિક શાળામાં ધો. ૧થી ૮ માં અભ્યાસ કરતા તમામ બાળકોની શૈક્ષણિક સિધ્ધિ માટે શાળામાં વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વાલીઓ તેમજ એસએમસીના સભ્યોએ હાજરી આપી હતી ધો.૧ થી ૮ તમામ શિક્ષકોએ પોતાના વિષય મુજબ વિદ્યાર્થીઓને કેવી રીતે  ઘરે પરીક્ષાની તૈયારી કરાવવી તેમજ બાળકોના સ્વાસ્થ્ય અંગે શુ કાળજી રાખવીએ બાબતોની વિસ્તૃત સમજૂતી આપી હતી તેમજ શાળાના આચાર્ય  અલ્પેશભાઈ પુજારાએ શાળાને લાગતી તમામ બાબતો અંગેની માહિતી આપી હતી આ તકે ખાસ ઉપસ્થિત સજનપરનું ગૌરવ સમાન ગામના દીકરી શીતલબેન રૈયાણી કે, જે હાલ જીએસટી ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે તેમણે તમામ વાલીઓને પોતાના બાળકોને ગામની સરકારી શાળામાં જ ભણાવવા અંગે ટકોર કરી હતી તેમજ લજાઈ સીઆરસી કોર્ડિનેટર શૈલેષભાઇ સાણજાપોતાના અનુભવો વાલીઓ સાથે શેર કર્યા હતા અને શાળાના શિક્ષકોને પૂરતો સહકાર આપવા અપીલ કરી હતી તેમજ વાલી સંમેલનના આયોજન બદલ શાળાના આચાર્યને અભિનંદન પાઠવ્યા હતા આ તકે ગામના સરપંચ રીનાબેન જાદવે પણ શાળા પરીવારને અભિનંદન પાઠવ્યા હતા અને ત્યાર બાદ જુદીજુદી રમતોમા વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા






Latest News