મોરબીના લીલાપર ગામે મકાનમાંથી ૩૨,૫૦૦ ના દારૂ-બિયર સાથે એક પકડાયો: એકની શોધખોળ
મોરબીના બ્રેઇન ડેડ કાંતિભાઈની બે કિડની અને લીવરથી ત્રણ લોકોને મળ્યું નવજીવન
SHARE
મોરબીના બ્રેઇન ડેડ કાંતિભાઈની બે કિડની અને લીવરથી ત્રણ લોકોને મળ્યું નવજીવન
મોરબીના કાંતિભાઈ ગરાળા સાયકલ ચલાવીને ઘરે જઇ રહ્યા હતા અને રસ્તામાં એકા-એક કુતરું આવી જતા તેઓએ સંતુલન ગુમાવ્યું હતુ અને રસ્તા પર ઢળી પડતા માથાના ભાગમાં ગંભીર ઇજા થઇ હતી જેથી તેનું બ્રેઇન ડેડ થયું હતું માટે અંગદાનનો તેના પરિવારજનોએ નિર્ણય કર્યો હતો અને તેની બે કિડની અને એક લીવરથી હાલમાં ત્રણ લોકોને નવજીવન મળ્યું છે
જાણવા મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા મોરબીના કાંતિભાઈ ગરાળા (૬૨) સાયકલ ચલાવીને ઘરે જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં આદું કૂતરું આવતા તે પડી ગયા હતા અને તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જો કે, તેને અતિગંભીર હતી જેથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સ્થિતિ વધુ ગંભીર બનતા આઇ.સી.યુ.માં શિફ્ટ કરવામાં આવ્યા હતા અને તેના પરિવારજનો વેઇટીંગ રૂમમાં બેઠા હતા ત્યારે ત્યાં લગાવવામાં આવેલ અંગદાનની માહિતીનું પોસ્ટર તેઓએ જોયું હતું અને ત્યાર બાદ બ્રેઇન ડેડ કાંતિભાઈના અંગદાન માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને હોસ્પિટલના તબીબો સાથે ચર્ચા કરીને અંગદાન કર્યું હતું જેથી તેની બે કિડની અને એક લિવરથી ત્રણ લોકોને નવજીવન મળ્યું છે