મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ મોરબી પાલિકાના 3 માજી પ્રમુખ, જિલ્લા પંચાયતના 1 માજી ચેરમેન, વાંકાનેર પાલિકાના 1 માજી પ્રમુખ સહિત ભાજપ પક્ષમાંથી કુલ 24 આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીની આર્ટ્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા એક દિવસીય શૈક્ષણિક ટુર યોજાઈ


SHARE













મોરબીની આર્ટ્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા એક દિવસીય શૈક્ષણિક ટુર યોજાઈ

સર્વોદય એજયુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા શૈક્ષણિક ઉદ્દેશથી વવાણીયા ખાતે એક દિવસીય ટુરનું આયોજન કરવામાં આવેલ.પસંદ કરાયેલા ૩૫ સ્વયંસેવકો આ ટુરમાં સામેલ થયેલ.

જ્યાં રામબાઈમાં જગ્યાના મહંત પ્રભુદાસજી પાસેથી રામબાઈમાંના પ્રારંભિક સેવાકાર્ય કે જેમાં રામબાઈમાં નાની ઉંમરમાં દુષ્કાળ્યા બાળકોને સાચવી સેવા કાર્યની શરૂઆત કરેલ અને ત્યારથી આ આશ્રમ તમામ સમાજના લોકો માટે ભૂખ્યાને ભોજન અને આશરો આપવાનું સેવા કાર્ય કરતો રહ્યો છે તે સંદર્ભે જગ્યાની વિસ્તૃત માહિતી આપેલ.ત્યારબાદ સ્વયંસેવકો દ્વારા આરોગ્ય અને સ્વચ્છતા સંદર્ભની સૂત્રાત્મક રેલી શ્રીમદ રામચંદ્ર આશ્રમ સુધી યોજાયેલ. શ્રીમદ રામચંદ્ર આશ્રમ ખાતે મહાદેવભાઇ દેસાઇ દ્વારા શ્રીમદ રામચંદ્ર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ.ગાંધીજીના ગુરુથી માંડીને સમાજ જીવનના દિસા સૂચનો અંગે શ્રીમદ રામચંદ્રજીના તપ અને ચિંતન કાર્યને વર્ણવેલ. ત્યાર બાદ વિદ્યાર્થીઓએ આશ્રમના પ્રદર્શન વિભાગને નિહાળેલ.મીઠા ઉદ્યોગ ક્ષેત્રે જેમનું મોટું નામ છે એવી જયદીપ કંપનીની મુલાકાત લઈ કાચા મીઠામાંથી વિવિધ પ્રોસેસના અંતે તૈયાર થઈ મીઠાના પેકિંગ સુધીની પ્રક્રિયા કંપનીના મેનેજર કાનજીભાઈ ચાંઉ અને તેમના તકનીકી સ્ટાફ દ્વારા સમજાવવામાં આવેલ.વવાણીયા ખાતે પૌરાણિક મંદિર કુબેર ભંડારીની પણ મુલાકાત લેવામાં આવેલ. આ ઉપરાંત નિર્માણાધીન નીમ કરોલી બાબા મંદિર અને થઈ રહેલ વિશાળ બાંધકામને પણ  નિહાળવામાં આવેલ.રામબાઈમાંના આશ્રમ ખાતે પ્રસાદ લીધા બાદ વળતા સમયે નવલખી રોડ પરના જાણીતા ત્રિમંદિરની મુલાકાત લેવામાં આવી હતી.કાર્યક્રમનુ આયોજન અને પ્રવાસનું નેતૃત્વ એનએસએસ વિભાગ વતી પ્રોગ્રામ ઓફીસર ડો.રામ વારોતરીયાએ કર્યુ હતુ.






Latest News