મોરબી મહાપાલિકાના હદ વિસ્તારમાંથી છેલ્લા મહિનાઓમાં 3,502 પશુ ડબ્બે પુરાયા મોરબીમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે નિઃશુલ્ક હોમિયોપેથીક કેમ્પ યોજાયો મોરબી પાટીદાર એડવોકેટ લીગલ સેલ-જીવાપરના ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનના સમર્થનમા આવેલા કલાકાર હકાભા ગઢવીને છાવણીએ આવવાની મનાઈ ! મોરબી જિલ્લામાં જમીન દફતર ખાતાની સેવાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ: નાગરિકોની સુવિધા માટે નવી ૬ કચેરીઓ કાર્યરત વિદેશ અભ્યાસ લોન બની પથદર્શક: હળવદ તાલુકાનાં મનીષ જાદવનું જર્મનીમાં ભણવાનું સપનું થયું સાકાર નમો સ્વચ્છતા અભિયાનનો મોરબી મનપાના મેયર ઉત્તમ સુરાણી અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં પ્રારંભ મોરબી જિલ્લામાં સહકાર થી સમૃદ્ધિના સંકલ્પ સાથે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું 
Breaking news
Morbi Today

મોરબીની આર્ટ્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા એક દિવસીય શૈક્ષણિક ટુર યોજાઈ


SHARE









મોરબીની આર્ટ્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા એક દિવસીય શૈક્ષણિક ટુર યોજાઈ

સર્વોદય એજયુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા શૈક્ષણિક ઉદ્દેશથી વવાણીયા ખાતે એક દિવસીય ટુરનું આયોજન કરવામાં આવેલ.પસંદ કરાયેલા ૩૫ સ્વયંસેવકો આ ટુરમાં સામેલ થયેલ.

જ્યાં રામબાઈમાં જગ્યાના મહંત પ્રભુદાસજી પાસેથી રામબાઈમાંના પ્રારંભિક સેવાકાર્ય કે જેમાં રામબાઈમાં નાની ઉંમરમાં દુષ્કાળ્યા બાળકોને સાચવી સેવા કાર્યની શરૂઆત કરેલ અને ત્યારથી આ આશ્રમ તમામ સમાજના લોકો માટે ભૂખ્યાને ભોજન અને આશરો આપવાનું સેવા કાર્ય કરતો રહ્યો છે તે સંદર્ભે જગ્યાની વિસ્તૃત માહિતી આપેલ.ત્યારબાદ સ્વયંસેવકો દ્વારા આરોગ્ય અને સ્વચ્છતા સંદર્ભની સૂત્રાત્મક રેલી શ્રીમદ રામચંદ્ર આશ્રમ સુધી યોજાયેલ. શ્રીમદ રામચંદ્ર આશ્રમ ખાતે મહાદેવભાઇ દેસાઇ દ્વારા શ્રીમદ રામચંદ્ર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ.ગાંધીજીના ગુરુથી માંડીને સમાજ જીવનના દિસા સૂચનો અંગે શ્રીમદ રામચંદ્રજીના તપ અને ચિંતન કાર્યને વર્ણવેલ. ત્યાર બાદ વિદ્યાર્થીઓએ આશ્રમના પ્રદર્શન વિભાગને નિહાળેલ.મીઠા ઉદ્યોગ ક્ષેત્રે જેમનું મોટું નામ છે એવી જયદીપ કંપનીની મુલાકાત લઈ કાચા મીઠામાંથી વિવિધ પ્રોસેસના અંતે તૈયાર થઈ મીઠાના પેકિંગ સુધીની પ્રક્રિયા કંપનીના મેનેજર કાનજીભાઈ ચાંઉ અને તેમના તકનીકી સ્ટાફ દ્વારા સમજાવવામાં આવેલ.વવાણીયા ખાતે પૌરાણિક મંદિર કુબેર ભંડારીની પણ મુલાકાત લેવામાં આવેલ. આ ઉપરાંત નિર્માણાધીન નીમ કરોલી બાબા મંદિર અને થઈ રહેલ વિશાળ બાંધકામને પણ  નિહાળવામાં આવેલ.રામબાઈમાંના આશ્રમ ખાતે પ્રસાદ લીધા બાદ વળતા સમયે નવલખી રોડ પરના જાણીતા ત્રિમંદિરની મુલાકાત લેવામાં આવી હતી.કાર્યક્રમનુ આયોજન અને પ્રવાસનું નેતૃત્વ એનએસએસ વિભાગ વતી પ્રોગ્રામ ઓફીસર ડો.રામ વારોતરીયાએ કર્યુ હતુ.






Latest News