મોરબીના મકનસર ગામે યુવાનને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરનાર છ સામે ફરિયાદ નોંધાઇ મોરબીમાં પુત્ર સાથે ઝઘડો કરતા વ્યક્તિને સમજાવવા જતા પથ્થર મારીને નાક તોડી નાખ્યુ, પ્રેમજીનગરમાં ગાળો બોલવાની ના પાડતા છરી વડે હુમલો મોરબીના વાવડી રોડ ઉપર પોલીસ ફરિયાદ કરી હોવાનો રોષ રાખી યુવાનો ઉપર પાઇપ અને લોખંડના ઘણ વડે હુમલો હળવદના જુના માલણીયાદ ગામ પાસે પાણીમાં ફસાયેલા 2 મહિલા સહિત 5 લોકોનું NDRF ની ટીમ રેસ્ક્યુ કર્યું, 7 લોકો જાતે બહાર આવી ગયા મોરબીના આમરણથી જોડિયા તરફ જવાના રસ્તા ઉપર નવા બનતા પુલનું ડાયવર્ઝન ધોવાયું, ભારે વાહનો માટે રસ્તો બંધ, નવા પુલ ઉપરથી નાના વાહનોની અવરજવર શરૂ મોરબીના તળાવીયા સનાળા ગામે બીમાર વૃદ્ધને ખાટલમાં સુવડાવીને ખભા ઉપર ખાટલો લઈને પાણીની બહાર કાઢ્યા શનિવારે રાત્રે 8:30 વાગ્યે મોરબીના મચ્છુ-2 ડેમના માત્ર 4 દરવાજા 10 ફૂટ સુધી ખુલ્લા: પાણીની આવક ઘટી મોરબીના મહેન્દ્રનગર ગામનો ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !
Breaking news
Morbi Today

મોરબીની આર્ટ્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા એક દિવસીય શૈક્ષણિક ટુર યોજાઈ


SHARE







મોરબીની આર્ટ્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા એક દિવસીય શૈક્ષણિક ટુર યોજાઈ

સર્વોદય એજયુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા શૈક્ષણિક ઉદ્દેશથી વવાણીયા ખાતે એક દિવસીય ટુરનું આયોજન કરવામાં આવેલ.પસંદ કરાયેલા ૩૫ સ્વયંસેવકો આ ટુરમાં સામેલ થયેલ.

જ્યાં રામબાઈમાં જગ્યાના મહંત પ્રભુદાસજી પાસેથી રામબાઈમાંના પ્રારંભિક સેવાકાર્ય કે જેમાં રામબાઈમાં નાની ઉંમરમાં દુષ્કાળ્યા બાળકોને સાચવી સેવા કાર્યની શરૂઆત કરેલ અને ત્યારથી આ આશ્રમ તમામ સમાજના લોકો માટે ભૂખ્યાને ભોજન અને આશરો આપવાનું સેવા કાર્ય કરતો રહ્યો છે તે સંદર્ભે જગ્યાની વિસ્તૃત માહિતી આપેલ.ત્યારબાદ સ્વયંસેવકો દ્વારા આરોગ્ય અને સ્વચ્છતા સંદર્ભની સૂત્રાત્મક રેલી શ્રીમદ રામચંદ્ર આશ્રમ સુધી યોજાયેલ. શ્રીમદ રામચંદ્ર આશ્રમ ખાતે મહાદેવભાઇ દેસાઇ દ્વારા શ્રીમદ રામચંદ્ર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ.ગાંધીજીના ગુરુથી માંડીને સમાજ જીવનના દિસા સૂચનો અંગે શ્રીમદ રામચંદ્રજીના તપ અને ચિંતન કાર્યને વર્ણવેલ. ત્યાર બાદ વિદ્યાર્થીઓએ આશ્રમના પ્રદર્શન વિભાગને નિહાળેલ.મીઠા ઉદ્યોગ ક્ષેત્રે જેમનું મોટું નામ છે એવી જયદીપ કંપનીની મુલાકાત લઈ કાચા મીઠામાંથી વિવિધ પ્રોસેસના અંતે તૈયાર થઈ મીઠાના પેકિંગ સુધીની પ્રક્રિયા કંપનીના મેનેજર કાનજીભાઈ ચાંઉ અને તેમના તકનીકી સ્ટાફ દ્વારા સમજાવવામાં આવેલ.વવાણીયા ખાતે પૌરાણિક મંદિર કુબેર ભંડારીની પણ મુલાકાત લેવામાં આવેલ. આ ઉપરાંત નિર્માણાધીન નીમ કરોલી બાબા મંદિર અને થઈ રહેલ વિશાળ બાંધકામને પણ  નિહાળવામાં આવેલ.રામબાઈમાંના આશ્રમ ખાતે પ્રસાદ લીધા બાદ વળતા સમયે નવલખી રોડ પરના જાણીતા ત્રિમંદિરની મુલાકાત લેવામાં આવી હતી.કાર્યક્રમનુ આયોજન અને પ્રવાસનું નેતૃત્વ એનએસએસ વિભાગ વતી પ્રોગ્રામ ઓફીસર ડો.રામ વારોતરીયાએ કર્યુ હતુ.






Latest News