મોરબીની આર્ટ્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા એક દિવસીય શૈક્ષણિક ટુર યોજાઈ
Morbi Today
મોરબીના વતની અને હાલ પુના રહેતા તબીબે વતન પ્રેમ સાર્થક કર્યો
SHARE
મોરબીના વતની અને હાલ પુના રહેતા તબીબે વતન પ્રેમ સાર્થક કર્યો
મોરબીના સેવાભાવી ડોકટર અને સમાજ સેવિકા એવા ડો.જ્યોતિબેન, ડો.નીતિનભાઈ મેહતા હાલ પુના રહેતા હોવા છતાં વતનને યાદ કરીને જન્મદિનની ઉજવણી કરી ડો.હસ્તીબેન મેહતાના એક દિવસીય કેમ્પ જેમાં ૧૪૦ દર્દીને ત્રણ દિવસની દવા ફ્રી તેમજ ઓમ લેબોરેટરીના સહદેવસીંહ ઝાલાના સહયોગથી ૩૫ લોકોના ફ્રી બ્લડ સુગર ટેસ્ટ તેમજ ૪૦ દર્દીોનું બીપી માપવામાં આવેલ આ કેમ્પનું આયોજન લીલાપર રોડ નીલકમલ સોસાયટીના હનુમાનજીના મંદિર ખાતે બપોરે ૩:૩૦ થી ૬ વાગ્યા દરમિયાન કરવામાં આવ્યુ હતુ.કેમ્પને સફળ બનાવવા દિનેશભાઈ ચૌહાણ, નવીનભાઈ પરમાર ભંખોડિયાભાઈ, ચંદ્રલેખાબેન મેહતા, રશ્મિનભાઈ દેસાઈ, કૌશીકાબેન રાવલ, ઋચિતાબેન પંડ્યાએ જહેમત ઉઠાવી હતી.









