માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામના યુવાનને આઇસર ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાનનું મોત


SHARE













મોરબીના રફાળેશ્વર ગામના યુવાનને આઇસર ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાનનું મોત

મોરબીના રફાળેશ્વર ગામે રહેતો યુવાન પોતાનું બાઇક લઇને રફાળેશ્વરથી જોધપર જતા રસ્તા ઉપરથી પસાર થતો હતો ત્યારે તેને આઈસર ચાલકે અડફેટે લેતા યુવાનને ગંભીર ઈજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર મળે તે પહેલાં તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને રાજકોટથી જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના રફાળેશ્વર ગામે આવેલ આંબેડકરનગરમાં રહેતો દિવ્યેશભાઈ લક્ષ્મણભાઈ સોલંકી (ઉંમર ૨૧) નામનો યુવાન રફાળેશ્વરથી જોધપર ગામ વચ્ચેના રસ્તા ઉપરથી પોતાનું બાઇક લઇને પસાર થઇ રહ્યો હતો ત્યારે તેના બાઇકને આઇસરના ચાલકે અડફેટે લીધું હતું જેથી દિવ્યેશભાઈ લક્ષ્મણભાઈ સોલંકીને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી માટે તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જોકે, રાજકોટ ખાતે સારવાર કારગત ન નિવડતા સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને રાજકોટથી જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News