મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબીના તળાવીયા શનાળા નજીક કારખાનામાં આગ મોરબી પાલિકાના 3 માજી પ્રમુખ, જિલ્લા પંચાયતના 1 માજી ચેરમેન, વાંકાનેર પાલિકાના 1 માજી પ્રમુખ સહિત ભાજપ પક્ષમાંથી કુલ 24 આગેવાનો 6 વર્ષ માટે સસ્પેન્ડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં આવેલ કુમાર-કન્યા પ્રાથમિક શાળામાં નિબંધ સ્પર્ધા યોજાઇ


SHARE













વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં આવેલ કુમાર-કન્યા પ્રાથમિક શાળામાં નિબંધ સ્પર્ધા યોજાઇ

મોરબી ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ દ્વારા વાંકાનેર તાલુકાના ચંદ્રપૂર ગામની ભાટીયા સોસાયટી કુમાર પ્રા. શાળા અને ભાટીયા કન્યા પ્રા.શાળામાં તમાકુના વ્યસનની જાગ્રુતિ અર્થે ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ધો. ૬ થી ૮ ના વિધાર્થીઓ અને વિધાર્થીનીઓએ ઉત્સાહપુર્વક ભાગ લીધેલ હતો અને વ્યસનમુકિતના સંદેશ અને સમજણ આપતા નિબંધ તથા ચિત્રો દોર્યા હતા ત્યારબાદ બંને સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ, દ્વિતીય અને તૃતિય નંબર મેળવનાર વિધાર્થીઓને તમાકુ નિયંત્રણ વિભાગ દ્વારા પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવેલ હતા અને ત્યારબાદ ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા બંન્ને શાળાના વિધાર્થીઓને વ્યસન મુક્તિ ના ફાયદા, વ્યસનથી થતુ નુકસાન તેની આર્થિક અસરો, સામાજિક અસરો વગરે બાબતો અને સમજ આપવામાં આવી હતી અને શાળાના આચાર્ય બુધ્ધદેવ અતુલકુમાર દ્વારા તમામ બાળકોને જિંદગીમાં કયારેય વ્યસન ન કરવા અને પોતાના પરીવારને પણ વ્યસનમુકત રાખવા અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમમાં કુમાર શાળાના આચાર્ય વસીયાણી મનસુખભાઈ તથા બંને શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવેલ હતો






Latest News