મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો મોરબીના આંદરણા-નીચી માંડલ વચ્ચે ડબલ સવારી બાઇક આડે ડમ્પર નાખતા સર્જાયેલ અકસ્માતમાં બે સગા ભાઈને ઇજા થતાં સારવારમાં હળવદના ડુંગરપુર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં આવેલ કુમાર-કન્યા પ્રાથમિક શાળામાં નિબંધ સ્પર્ધા યોજાઇ


SHARE













વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં આવેલ કુમાર-કન્યા પ્રાથમિક શાળામાં નિબંધ સ્પર્ધા યોજાઇ

મોરબી ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ દ્વારા વાંકાનેર તાલુકાના ચંદ્રપૂર ગામની ભાટીયા સોસાયટી કુમાર પ્રા. શાળા અને ભાટીયા કન્યા પ્રા.શાળામાં તમાકુના વ્યસનની જાગ્રુતિ અર્થે ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ધો. ૬ થી ૮ ના વિધાર્થીઓ અને વિધાર્થીનીઓએ ઉત્સાહપુર્વક ભાગ લીધેલ હતો અને વ્યસનમુકિતના સંદેશ અને સમજણ આપતા નિબંધ તથા ચિત્રો દોર્યા હતા ત્યારબાદ બંને સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ, દ્વિતીય અને તૃતિય નંબર મેળવનાર વિધાર્થીઓને તમાકુ નિયંત્રણ વિભાગ દ્વારા પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવેલ હતા અને ત્યારબાદ ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબીના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા બંન્ને શાળાના વિધાર્થીઓને વ્યસન મુક્તિ ના ફાયદા, વ્યસનથી થતુ નુકસાન તેની આર્થિક અસરો, સામાજિક અસરો વગરે બાબતો અને સમજ આપવામાં આવી હતી અને શાળાના આચાર્ય બુધ્ધદેવ અતુલકુમાર દ્વારા તમામ બાળકોને જિંદગીમાં કયારેય વ્યસન ન કરવા અને પોતાના પરીવારને પણ વ્યસનમુકત રાખવા અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમમાં કુમાર શાળાના આચાર્ય વસીયાણી મનસુખભાઈ તથા બંને શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવેલ હતો






Latest News